Skip to main content

કિચડનું સામ્રાજ્ય:શહેરની યોગીપાર્ક સોસાયટીમાં રોડ પર કિચડનું સામ્રાજ્ય સ્થાપિત

જૂનાગઢ મહાનગર પાલિકાની કામગીરીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. આખા શહેરમાં ક્યાંય પણ સારા રસ્તા નથી. ખરાબ રસ્તાને લઇને લોકો હેરાન પરેશાન થયા છે. કોઇક સ્થળોએ તો રસ્તો શોધવો જ મુશ્કેલ બન્યો છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ યોગીપાર્ક સોસાયટીમાં રોડની હાલત કફોડી બની છે. અહીં રોડની હાલતથી સ્થાનિકો ત્રાહીમામ બન્યા છે. સ્થાનિકોએ જણાવ્યુ કે, અહીં તંત્ર દ્વારા ગટર, રોડની કામગીરી કરી હતી બાદમાં પેચવર્ક કરવામાં આવેલ નથી. માત્ર કરેલી કામગીરીમાં ખાડા બૂરી દીધેલા છે. જેને કારણે વરસાદ પડતા જ અહીં કાદવ કિચડનુ સામ્રાજ્ય ખડકાયુ છે. આ રોડ પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. એટલુ જ નહીં કોઇપણ ઘરે કોઇ બિમાર પડ્યુ હોય કે મહિલાને ડિલેવરી સહિતની ઇમરજન્સી દવાખાનાની જરૂર પડી હોય તો ઇમરજન્સી સેવાના વાહનો પણ આવી શકે તેમ નથી. રોજ ઘણા વાહનો અહીં ફસાય છે. આ રોડને લઇને આકસ્મિક બનાવો પણ વધ્યા છે. અહીંના નગરસેવક જો આ રોડ પર ચાલીને બતાવે તો લોકો તેનુ સન્માન કરવા તૈયાર છે. સ્થાનિકો આ રોડથી ત્રાહીમામ થયા છે. કાદવ કિચડ જેવી ગંદકીને કારણે અહીં રોગચાળાની ભિતી પણ સેવાય રહી છે. વહેલી તકે આ રોડની કામગીરી તંત્ર કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


http://dlvr.it/TBkb7Y

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n