Skip to main content

ખુશનુમા વાતાવરણ:દાહોદ જિલ્લામાં સોમવારે ચોમાસાનો માહોલ યથાવત પણ વરસાદ ઝરમરિયો

દાહોદ જિલ્લામાં સોમવારનો દિવસ પણ ભીંજાયેલો પસાર થયો હતો. જોકે, છ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. બાકીના ત્રણ તાલુકામાં રસ્તા ભીના થાય તેટલો વરસાદ થયો હતો. ડેમો ભરાવવા માટે હવે પ્રજા ધોધમાર વરસાદની રાહ જોઇ રહી છે. દાહોદ જિલ્લામાં સોમવારનો દિવસ પણ ઝરમરિયા વરસાદ સાથે પસાર થયો હતો.જોકે, આખા જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોમવારના રોજ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. દરરોજ જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યુ હતું. ત્યારે જિલ્લાના નવ તાલુકા પૈકી ફતેપુરા તાલુકામાં સાંજના છ વાગ્યા સુધીમાં 8 મિમી, લીમખેડા તાલુકામાં 1 મિમી, ગરબાડા તાલુકામાં 2 મિમી, દેવગઢ બારિયા તાલુકામાં 5 મિમી, ધાનપુર તાલુકામાં 3 મિમી અને સિંગવડ તાલુકામાં 11 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે, દાહોદ શહેર સહિત બાકીના તાલુકામાં પણ ઝરરમરિયા વરસાદે રસ્તા ભીના કર્યા હતાં. ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં દરરોજ ઝરમરમ વરસાદ થઇ રહ્યો છે.તેનાથી ખેતીને ચોક્કસપણે લાભ થઇ રહ્યો છે પરંતુ ડેમોમાં પાણીની કોઇ આવક થઇ નથી રહી. ડેમો ભરાવવા ધોધમાર વરસાદની જરૂરિયાત જણાઇ રહી છે.


http://dlvr.it/TBXhGW

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp