Skip to main content

કોરોનાકાળથી બસ ધૂળ ખાતી હતી:વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનોનો દરજ્જો અપાવવા માટે ત્રણ વર્ષથી બંધ ‘વડોદરા દર્શન બસ’ શરૂ કરાશે

વડોદરા શહેરને ક્રિએટિવ ઓફ હેરીટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરાયેલી વડોદરા દર્શનની બસ પુનઃ શરૂ કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાના વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી બસની સાફ-સફાઈ અને મેઇન્ટેનન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પાલિકાના ટુરીસ્ટ વિભાગને હજુ સુધી વડોદરા દર્શન બસ શરૂ કરવાની કોઈ સૂચના મળી નથી. તત્કાલીન મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું
સર સયાજીરાવ ગાયકવાડની ઐતિહાસિક નગરી વડોદરા શહેરના વિવિધ સ્થાપત્યોને લોકો નિહાળી શકે અને માણી શકે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2015-16માં વડોદરા દર્શન નામની બસ શરૂ કરવામાં આવી હતી. આ બસનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા દર્શન બસની શરૂઆત થયા બાદ વૈશ્વિક મહામારી કોરોના આવતા વડોદરા દર્શન બસની સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે, કોરોના મહામારી ગયાને પણ ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા દર્શનની બસ શરૂ કરવામાં આવી ન હતી. આ બસ કોર્પોરેશન હસ્તકના વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી કરી દેવામાં આવી હતી. બસ તૈયાર કરવામાં આવી
જો કે, વડોદરા કોર્પોરેશન શહેરને ક્રિએટિવ ઓફ હેરીટેજનો દરજ્જો આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા દર્શન નામની બંધ કરી દેવામાં આવેલી બસ પુનઃ શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોના બાદથી વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી બસને ધોવામાં આવી છે અને તેનું મેઇન્ટેનન્સ કરી તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં બસ શરૂ થઇ જશે
વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વડોદરા દર્શન બસ શરૂ કરી દેવામાં આવશે. જો કે, વડોદરા કોર્પોરેશનના ટુરીસ્ટ વિભાગનો સંપર્ક કરતા અધિકારી અંકુર ગરુડે જણાવ્યું હતું કે, વડોદરા દર્શન બસ સેવા શરૂ કરવા માટેની હજી સુધી અમને કોઈ સૂચના મળી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ બસ ક્યારે શરૂ કરવામાં આવશે? બસમાં ટુરિસ્ટો માટેની ટિકિટનો દર કેટલો હશે? વડોદરા શહેરના કયા કયા સ્થળો બતાવવામાં આવશે? તેમજ બસમાં ગાઈડ તરીકેની નિમણૂક પણ કરવામાં આવી નથી. આમ વડોદરા દર્શન બસ અંગેની હજુ સુધી કોઈ રૂપરેખા નક્કી કરવામાં આવી નથી. સિટી ઇન્ફોર્મેશન સેન્ટર બનાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરને પ્રવાસન તરીકે વિકસાવવા માટે રેલવે સ્ટેશન પાસે ભવ્ય સિટી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું. જો કે, આ ઇન્ફોર્મેશન સિટી સેન્ટર સ્થળેથી જ બુલેટ ટ્રેન પસાર થવાની હોવાના કારણે આ સિટી ઇન્ફોર્મેશન સેન્ટર તોડી પાડવામાં આવ્યું છે. નોંધનીય બાબતે એ છે કે, આ સિટી ઇન્ફોર્મેશન જ્યારે બનાવવામાં આવ્યું હતું તેના એક જ વર્ષમાં તોડી પાડવામાં આવ્યું હતું. બસ કાયમી ધોરણે ચાલવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પૂર્વે વડોદરા દર્શનની બસ ચાલુ હતી ત્યારે ગાઈડ તરીકે કામ કરનાર શ્રીનિવાસ સોલાપુરકરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વડોદરા દર્શન બસ કાયમી ધોરણે શરૂ થવી જરૂરી છે. વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડે આપેલા અમૂલ્ય સ્મારકો છે. જેનો લોકોને ખ્યાલ આવવો એટલો જરૂરી છે. વડોદરામાં સ્થાપત્યોનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે અને આર્કિટ્રેક્ચરની દ્રષ્ટિએ પણ અનોખો ઇતિહાસ છે. વડોદરા દર્શનની બસ ચાલુ હતી ત્યારે પ્રતિદિન ઓછામાં ઓછા 15 થી 20 જેટલા લોકો લાભ લેતા હતા. તે સમયે ટિકિટનો દર રૂપિયા 100 હતો. વડોદરાના ઐતિહાસિક સ્થાપત્યોને જોવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત વિદેશી ટુરીસ્ટો પણ આવતા હતા. ત્યારે વડોદરા દર્શન બસ વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. વડોદરા દર્શન બસ રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગે ઉપડતી હતી અને સાંજે 6 વાગે પરત સ્ટેશન આવતી હતી. આ સ્થળો ટૂરિસ્ટોને બતાવવામાં આવતાં હતાં


http://dlvr.it/TBkm9j

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp