Skip to main content

ઘરમાં પડેલા થેલામાંથી રોકડ-દાગીનાની ચોરી:ભાવનગરના વિદ્યાનગર વિસ્તારનો બનાવ, પરિવારે પોતાના જ સંબંધીએ ચોરી કર્યાની આશંકા વ્યકત કરી

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં એક યુવાનના મકાનમાંથી કોઈ અજાણી વ્યક્તિએ રૂ.1.15 લાખ તથા સોના ચાંદીના દાગીના ની દંપતિની હાજરીમાં ચોરી કર્યાની ફરિયાદ ખેડૂત યુવાને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવવા અંગે નિલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની અને હાલ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટી સુપાર્શ્વ ફલેટ 403 માં ભાડે રહેતા રામદેવ સુરુભા ચુડાસમા ઉ.વ.42 એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી તેઓ ભાવનગર શહેરમાં રહેવા આવ્યા છે રામદેવના પુત્ર સૂર્યદીપ ને બોલવામાં તકલીફ થતી હોય આથી દંપતી પુત્ર પુત્રી સાથે ભાવનગર પુત્ર સૂર્યદીપની સ્પીચ થેરેપી ટ્રીટમેન્ટ માટે ભાવનગર રહેવા આવ્યા છે. દરમિયાન ગતરોજ દંપતી બંને પુત્રો તથા પુત્રી સાથે વતન જવા તૈયાર થયા હોય અને તેઓએ ઘરે એક થેલામાં રૂપિયા 1.15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના થેલામાં મૂકી જવા માટેની તૈયારીઓ કરી હતી, દરમિયાન રામદેવના સાળા વીરભદ્ર ગોહિલની પત્ની જયશ્રીનો રામદેવના પત્ની પર કોલ આવેલ કે હું મારી પુત્રી માહીની સારવાર માટે ભાવનગર આવી રહી છું અને બપોરે તમારા ઘરે જમવા આવીશ આથી દંપતીએ ગામડે જવાનું માંડી વાળી મહેમાનની રસોઈ સહિતની તૈયારીઓ હાથ ધરી હતી. દરમિયાન બપોરે મહેમાન તરીકે આવેલ જયશ્રી પરત ગયા બાદ દંપતીએ વતન જવા માટે પ્રયાણ કરતા હોય એ દરમિયાન રામદેવે થેલાની તલાસી લેતા થેલામાં રાખેલ રોકડા રૂપિયા 1.15 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી આવ્યા ન હતા. જેની ચોમેર તપાસ હાથ ધરતા આ મુદ્દામાલનો ક્યાંય પત્તો ન લાગતા રામદેવ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સાથોસાથ એવી આશંકા પણ દર્શાવી છે કે મહેમાન તરીકે આવેલ સાળાની પત્ની જયશ્રીએ રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી હોય આ અંગે નિલમબાગ પોલીસે ગુનો દાખલ કરી શકમંદની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/TBQCh8

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp