Skip to main content

ચુકાદો:હ્રદયરોગના કિસ્સામાં રાજ્ય કમિશનનો મહત્વનો ચુકાદો

ગાંધીધામના નરેશચંદ્ર ગોપાલજી ગઢવીએ મેડીકલેઈમ પોલીસી ધી નેશનલ ઈન્શ્યોરન્સ કં. લી. પાસેથી લીધી હતી. પોલીસીના સમયગાળા દરમ્યાન છાતીનો દુઃખાવો થતાં ડો.મોરખીયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને ઓપરેશન કરાવાયું હતું જેનો રૂ.1,49,890 ખર્ચ થયો હતો. ફરીયાદીએ વીમા કંપની પાસે ક્લેઈમ નોંધાવી જરૂરી આધારો સાથે કલેઈમ ફોર્મ ભર્યું હતું. વીમા કંપની તરફથી ક્લેઈમની રકમ ચૂકવવામાં ન આવતા નાછૂટકે ફરિયાદીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ અરજી કરી હતી. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ધી નેશનલ ઈન્સ્યુરન્સ ફાં.લી. સામે હુકમ કરી કર્યો હતો.જિલ્લા કમિશનના હુકમથી નારાજ થઈ વીમા કંપનીએ નામદાર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજ સમક્ષ રીવ્યુ અરજી દાખલ કરી અને તેમાં ફરીયાદી પક્ષે વિગતવાર જવાબ રજૂ કરવામાં આવેલ તેને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીની રીવ્યુ અરજી પત્ર નામંજૂર કરી , તો ફોરમના રીવ્યુ અરજીના હુકમથી નારાજ થઈને વીમા કંપની દ્વારા રાજય કમિશન સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ ફરીયાદી તરફે લેખિત રજુઆતને ઘ્યાનમાં લઇ રાજય કમિશને ફરીયાદીને બાકી રહેતી રકમ રૂ.49,890 વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી પક્ષે ભુજના ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠકકર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતાં.


http://dlvr.it/TBmBTT

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n