Skip to main content

ચુકાદો:હ્રદયરોગના કિસ્સામાં રાજ્ય કમિશનનો મહત્વનો ચુકાદો

ગાંધીધામના નરેશચંદ્ર ગોપાલજી ગઢવીએ મેડીકલેઈમ પોલીસી ધી નેશનલ ઈન્શ્યોરન્સ કં. લી. પાસેથી લીધી હતી. પોલીસીના સમયગાળા દરમ્યાન છાતીનો દુઃખાવો થતાં ડો.મોરખીયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને ઓપરેશન કરાવાયું હતું જેનો રૂ.1,49,890 ખર્ચ થયો હતો. ફરીયાદીએ વીમા કંપની પાસે ક્લેઈમ નોંધાવી જરૂરી આધારો સાથે કલેઈમ ફોર્મ ભર્યું હતું. વીમા કંપની તરફથી ક્લેઈમની રકમ ચૂકવવામાં ન આવતા નાછૂટકે ફરિયાદીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ અરજી કરી હતી. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ધી નેશનલ ઈન્સ્યુરન્સ ફાં.લી. સામે હુકમ કરી કર્યો હતો.જિલ્લા કમિશનના હુકમથી નારાજ થઈ વીમા કંપનીએ નામદાર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજ સમક્ષ રીવ્યુ અરજી દાખલ કરી અને તેમાં ફરીયાદી પક્ષે વિગતવાર જવાબ રજૂ કરવામાં આવેલ તેને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીની રીવ્યુ અરજી પત્ર નામંજૂર કરી , તો ફોરમના રીવ્યુ અરજીના હુકમથી નારાજ થઈને વીમા કંપની દ્વારા રાજય કમિશન સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ ફરીયાદી તરફે લેખિત રજુઆતને ઘ્યાનમાં લઇ રાજય કમિશને ફરીયાદીને બાકી રહેતી રકમ રૂ.49,890 વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી પક્ષે ભુજના ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠકકર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતાં.


http://dlvr.it/TBmBTT

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp