Skip to main content

અજાડ ટાપુ ઉપર સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન:જિલ્લા પોલીસે ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદે પ્રથમ માનવ વસતિવાળા ટાપુ પર ધ્વજ વંદન, તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશવાસીઓ ખૂબ ઉત્સાહથી રાષ્ટ્ર ભક્તિના ગૌરવ સાથે જોડાય અને ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ. 8થી 13 ઓગષ્ટ સુધી “હર ઘર તિરંગા" ઝુંબેશ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહથી “હર ઘર તિરંગા" કાર્યક્રમમાં ભાગ લઈ, પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતર- રાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે. 237 કિ.મી. જેટલા લાંબા દરિયાકાંઠા સાથે કુલ 23 જેટલા ટાપુઓ ધરાવે છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગુજરાતના દરીયાઈ સીમાના છેવાડે સ્થિત ટાપુઓ પૈકી અજાડ ટાપુ પર માનવ વસ્તી ધરાવતું અજાડ ગામ આવેલું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેમજ દરિયાઈ માર્ગેથી સંભવિત ભયને ધ્યાને લઈ ટાપુ ઉપર વસતા લોકો રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટીએ “પ્રથમ હરોળના સૈનિકો" હોય અને તેઓની રાષ્ટ્રીય ભાવના વધુ દ્રઢ બને તે હેતુથી શુક્રવારે અજાડ ટાપુના દરિયાકાંઠા ઉપર ટાપુ પર વસતા લોકોને સાથે રાખી ધ્વજવંદન કાર્યક્રમ યોજી, ધ્વજવંદન કરીને સ્વતંત્રતા દિવસને વધાવવા માટે આહવાન કર્યું હતું. આ ઉપરાંત અજાડ ટાપુ પર આવેલા તમામ ઘરો પર તિરંગા લગાવીને નાગરિકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. અહીં ઉપસ્થિતિ તમામ લોકોમાં મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવી, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ અજાડ ટાપુ ઉપર વસવાટ કરતા લોકોનો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનો ઉત્સાહ વધે તેમજ દેશના સાર્વભોમત્વ પ્રત્યેની લાગણી વધુ દ્રઢ થાય તે માટે મોટી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજ સાથે એક “તિરંગા યાત્રા”નું આયોજન કર્યું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં માણસો જોડાયા હતા અને ગગનચુંબી નારાઓ, દેશ ભક્તિના ગીતોથી ટાપુ ઉપરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ચોતરફ રાષ્ટ્ર પ્રેમ જોવા મળ્યો હતો. આ ટાપુ ઉપર વસવાટ કરતા લોકો સાથે પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતા ટાપુવાસીઓ પણ ભાવવિભોર બની, ગદગદિત થઈ ગયા હતા અને તેમનામાં રહેલી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.


http://dlvr.it/TBlmw3

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp