Skip to main content

સૂચના:ચેમ્બુરની કોલેજમાં ડ્રેસ કોડનો વિરોધ કરતી અરજી ફગાવી દેતાં સુપ્રીમમાં અપીલ કરાઈ

ચેમ્બુરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠે ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હિજાબ, નકાબ, બુરખા, કેપ વગેરે પહેરવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને યથાવત રાખતાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોલેજના નવ વિદ્યાર્થીઓએ 26 જૂનના મુંબઈ હાઈ કોર્ટના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારોના વકીલે કોલેજમાં યુનિટ ટેસ્ટ શરૂ થવાની હોવાથી તાકીદે સુનાવણી લેવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અરજી આવી ત્યારે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આગામી દિવસોમાં ટૂંક સમયમાં સુનાવણી લેવાશે, એવી નોંધ કરી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ અતુલ એસ ચાંદુરકર અને રાજેશ એસ પાટીલની ડિવિઝન બેન્ચે 26 જૂનના રોજ જણાવ્યું હતું કે, કૉલેજ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના આર્ટિકલ 19(1)(એ) (સ્વાતંત્ર્ય અભિવ્યક્તિનો અધિકાર) અને બંધારણની કલમ 25 (ધર્મ પાલનની સ્વતંત્રતા)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે ભેદભાવભરી નથી. તેને જારી કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે, વિદ્યાર્થીના પોશાકમાં તેમનો ધર્મ છતો નહીં થવો જોઈએ. વિદ્યાર્થીઓએ જ્ઞાન અને શિક્ષણ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડ્રેસ કોડ જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષમાં અમલમાં આવવાનો હતો, તેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોલેજની અંદર બુરખો, નકાબ, હિજાબ અથવા કોઈ પણ ધાર્મિક ઓળખ કરે, જેમ કે બેજ, કેપ અથવા સ્ટોલ્સ પહેરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોલેજ દ્વારા તેના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ફક્ત આખી અથવા અડધી બાંયનું શર્ટ અને ટ્રાઉઝર, જ્યારે છોકરીઓ માટે કોઈ પણ ભારતીય અથવા પશ્ચિમી સભ્યતા દર્શાવતો પોશાક જ પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.એડવોકેટ હમઝા લાકડાવાલા અને અબીહા ઝૈદી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી)માં, અરજદારો, કૉલેજના 9 બીએસસી કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે હાઈ કોર્ટ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી હતી કે કૉલેજ કાયદાની સત્તા દ્વારા ખોટી સૂચનાઓ જારી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની દલીલો વિદ્યાર્થીઓની અપીલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હાઈ કોર્ટે ખોટો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. અરજદારે દાવો ર્ક્યો છે કે, ખરેખર આ વિવાદિત નિર્દેશને કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે ગંભીર ભેદભાવ થયો છે અને તેઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. અરજીમાં વિવાદિત સૂચનોને રદ કરવા માટે માર્ગદર્શન માગવામાં આવ્યું છે. સૂચનો એસએલપીની સુનાવણી બાકી રહે ત્યાં સુધી, તેણે તેની પર સ્ટે માગવામાં આવ્યો છે. જો આવું નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે,તેમના જીવન અને કારકિર્દીને અસર થશે.


http://dlvr.it/TBb9mM

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp