Skip to main content

3.27 લાખનો મુદામાલ કબજે:મોરબીના ITI પાસેથી 52 બોટલ અને 48 બીયરના ટીન સાથે બે શખસની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી દારૂ ભરેલ કારને પોલીસે પકડી છે. તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી આવેલ છે. જેથી પોલીસે દારૂ બીયર અને ગાડી મળીને 3,27,550નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે. તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા તજવીજ ચાલી રહી છે. મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી કાર નંબર જીજે 36 એજે 4700 પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 52 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે 27,550 ની કિંમતનો દારૂ તેમજ બિયર અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3,27,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે ગાડીમાં બેઠેલા ઉદય જોરૂભાઇ કપરડા અને અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા (રહે. બંને હાલ મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે. કળમાદ જીલ્લો સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી રણુભાઈ લગધીરભાઈ કપરડાનું નામ સામે આવ્યું છે. જેથી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


http://dlvr.it/TBd528

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n