Skip to main content

વસૂલાત કરી:વેરાવળની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી સિંચાઇ વિભાગે 157 કરોડની વસૂલાત કરી

વેરાવળ મા આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી સિંચાઇ વિભાગની 157 કરોડની વસુલાત છેલ્લા 26 વર્ષથી બાકી હોય અંતે ભરપાઈ કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એ પી કલસરિયાએ કહ્યું હતું કે વેરાવળમાં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરવામાં આવી છે. પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી અંતે સમાધાન થયું હતું.ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળ દ્વારા તેમના ઔદ્યોગિક એકમોને હિરણ બે જળાશય માંથી ઉદ્યોગને લગતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું જેમાં વર્ષ 1999 થી લઈને 2024 સુધી કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હતું પરંતુ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને પરત મોકલવામાં આવતુ હતુ.


http://dlvr.it/TBhHhx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n