Skip to main content

શિક્ષણ:MSUમાં આખું વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન થતા, વીસીએ વર્ષે 2 વખત કરાવતાં રિસર્ચરો ખાનગી યુનિ. તરફ વળ્યા

મ.સ.યુનિ.માં પીએચડીનું રજીસ્ટ્રેશન ફરી અટવાયું છે. ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશની પ્રક્રિયા ના થતાં યુનિવર્સિટીના રીસર્ચ પર ગંભીર અસર થઇ છે. પહેલા યુનિવર્સિટીમાં આખુ વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન થતું હતું પરંતુ વીસીની સૂચના બાદ વર્ષમાં બે વાર જ થાય છે. તેમાં પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ન કરાતાં વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટી તરફ વળ્યા છે. યુનિવર્સિટીમંા સતત ત્રીજા વર્ષે પીએચડીને લઇને વિવાદ ઉભો થયો છે. દેશભરની યુનિવર્સિટીમાં રીસર્ચને પ્રાધ્યન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે મ.સ.યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓને લઇને કોઇ ગંભીરતા નથી. યુજીસીના નવા નિયમ પ્રમાણે પીએચડીના રજિસ્ટ્રેશન માટે પીએચડી એન્ટ્રન્ટસ ટેસ્ટ પાસ કરવાની જરૂર નથી. નેટ કે સ્લેટ પાસ કરનાર પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જુલાઈ પૂરો થવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ પીએચડીનું રજિસ્ટ્રેશન શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી નથી. વિદ્યાર્થીઓ જે તે ફેકલ્ટીના ડીનોને રજીસ્ટ્રેશન માટે પૂછી રહ્યા છે ત્યારે ડીન પાસે જવાબ નથી. સમગ્ર પ્રક્રિયામાં યુનિવર્સિટી સત્તાધીશો કરે છે. છેલ્લા અઢી વર્ષમાં યુનિવર્સિટીનું સ્તર સતત નીચે જઇ રહ્યું છે. રિસર્ચ માટેની ગ્રાંટ ઓછી થવાથી અને પીએચડીની ડિગ્રી મેળવનારાઓની સંખ્યા પણ ઓછી થઈ જવાથી યુનિવર્સિટી નેક સહિતના રેન્કિંગ પર અસરો થશે. નવી શિક્ષણ નિતિમાં રીસર્ચ વર્કને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી છે. ત્યારે રાજ્ય અને દેશમાં અગ્રગણ્ય એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રીસર્ચ જ ઓછું થઇ રહ્યું છે. જેને પગલે આગામી સમયમાં એમ.એસ.યુનિવર્સિટીમાં નહિવત વિદ્યાર્થીઓ પીએચડી કરતાં હશે તેવો ઘાટ થાય તો નવાઇ નહીં. યુનિ.માં વિદ્યાર્થીઓ-અધ્યાપકોની હાલત કફોડી
કોમન એકટ લાગુ કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટ અને વિદ્યાર્થી સંગઠનનું અસ્તિત્વ રહ્યું ના હોવાથી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મનસ્વી વર્તાવ કરવામાં આવી રહ્યો છે જેના પગલે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હાલત કફોડી થઇ જવા પામી છે.


http://dlvr.it/TBL2Wv

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp