Skip to main content

રજુઆત:વાઘેશ્વરી પ્લોટનો મુખ્ય માર્ગ તાત્કાલિક ચાલુ કરવા રજુઆત

પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં જતા મુખ્ય માર્ગ ઉપર સ્ટોમ વૉટર ડ્રેનજની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ કામગીરી દરમ્યાન રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે તેમછતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેથી સામાજિક આગેવાન દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર પાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વૉટર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પોરબંદરના વાઘેશ્વરી વિસ્તારમાં જતા મુખ્ય માર્ગ ઉપર આ કામગીરીને લઈને અનેક દિવસોથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી આ વિસ્તારમાં જવા માટે સ્થાનિકોને અન્ય રસ્તા ઉપરથી જવાની ફરજ પડે છે ત્યારે આ રસ્તા ઉપર સ્ટોમ વૉટર ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી જેથી સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે. સામાજિક આગેવાન દ્વારા પાલિકાને કરી લેખિતમાં રજુઆત


http://dlvr.it/T97L2C

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n