Skip to main content

પ્રજાના પ્રશ્નોના ઉકેલવા અધિકારી અને પદાધિકારીએ હાજર:મોરબી શહેરના પ્રશ્નો ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં નિશ્ચિત સમયે હાજર રહેશે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લગભગ દરરોજની એક ફરિયાદ સાથે લોકોના ટોળાં પાલિકામાં આવે છે. ત્યારે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર કયારે હાજર હશે. તેની માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને લગભગ 15 મહિનાથી પણ વધુ સમય થઈ ગયેલ છે અને હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર થકી પાલિકાના રૂટિન કામનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે રોજે કોઈને કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે. જેથી કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેના માટે પાલિકામાં કયા અધિકારી અને પદાધિકારીએ કયારે હાજર રહેશે તેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. હવેથી દર મંગળવારે સવારે 10:30 થી 12:30 ચીફ ઓફિસર તથા મોરબી જિલ્લાના કલેકટર મોરબી પાલિકા કચેરી ખાતે હાજર રહેશે. દર બુધવારે સવારે 10:30 થી 12:30 વહીવટદાર પાલિકા કચેરીમાં હાજર રહેશે. દર શુક્રવારે બપોરે 04:00થી 06:00 ચીફ ઓફિસર તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે. અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે 04:00થી 06:00 ચીફ ઓફિસર હાજર રહેશે. જો કે, અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા પછી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.


http://dlvr.it/TB2VS2

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n