Skip to main content

ભૂખહડતાળ શરૂ:બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ

બોરીવલી-વેસ્ટમાં વર્ષો જૂનું બાભઈ સ્મશાનગૃહ છેલ્લા 8 મહિનાથી રિપેરિંગને બહાને બંધ કરાયું છે તેની વિરુદ્ધ 78 વર્ષીય સામાજિક કાર્યકર મીરા કામત મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડમાં મંગળવારથી બેમુદત ભૂખહડતાળ ઊતરી જતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. મીરા કામતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બોરીવલીમાં રામ મંદિર રોડ પર બાભઈ સ્મશાનગૃહમાં ગત ઓક્ટોબરથી રિપેરિંગના નામે લાકડાની 4 ચિતા મહાપાલિકાએ બંધ કરી છે. હાલમાં કમસેકમ એક ચિતા ચાલુ નહીં કરે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે. આ જગ્યા પર ભૂ-માફિયાઓનો ડોળો છે. અહીં બે ભઠ્ઠી ઈલેક્ટ્રિકની ચાલુ છે, જેનો રસ્તો બાભઈને બદલે પાછળથી વઝિરા વિસ્તારમાંથી ખુલ્લો રખાયો છે. આગળના ભાગનો રસ્તો રિપેરિંગના બહાને બંધ કરી દેવાયો છે, પરંતુ આ મામલે રહેવાસીઓએ સ્થાનિક મહાપાલિકાની કચેરીમાં રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિદ્રામાંથી તંત્ર જાગ્યુ નથી. મેં લેખિતમાં પોલીસ અને વોર્ડ ઓફિસને વાંરવાર જાણ કરી અને મિટિંગો કરી, પરંતુ તે આ સ્મશાનભૂમિ ફરીથી પહેલાની જેમ કયારે શરૂ કરશે તેની કોઈ સમયમર્યાદા આપતું નથી. તેઓ હવે એમ કહે છે કે અમે મ્હાડાને આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમ, નાગરિકો સાથે પ્રશાસકો રમત કરી રહ્યા છે. આથી મારે નાછૂટકે ભૂખહડતાળ પર ઊતરવું પડ્યું છે. હું સિનિયર સિટીઝન હોવા છતાં અહીં કોઇ સુવિધા પણ આપી નથી. અમને અહીં બેસવા દેવામાં પણ ભારે રકઝક થઈ રહી છે, પરંતુ હું જ્યાં સુધી લેખિત બાંયધરી નહીં મળે ત્યાં સુધી અહીંથી હટીશ નહીં, એમ તેમણે જણાવ્યું હતું. વોર્ડ ઓફિસરે શું કહ્યું? મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડનાં આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બાભઈ સ્મશાનગૃહ સૌથી જૂનું છે. આથી તેને રિપેરિંગ માટે બંધ કરાયું છે. અમે પહેલાં ટેન્ડર આપ્યું હતું, પરંતુ ફંડના અભાવે તે ટેકનિકલ કારણોસર મુલતવી રાખ્યું છે. હવે અમે 3 જુલાઈના મ્હાડાએ બાભઈ સ્મશાનભૂમિની રિપેરિંગની જવાબદારી લીધી છે અને તે માટે અમે મંજૂરી આપી છે. અમે આ વિગતો મીરા કામતને આપી છે, તેઓ ચોક્કસ સમયમર્યાદા અંગે લેખિત માગી રહ્યાં છે, જે શક્ય નથી, કારણ કે, અહીં હજુ અનેક સુવિધાઓ અને સગવડો શરૂ કરવાની છે. આથી ચોક્કસ સમય શક્ય નથી.


http://dlvr.it/T9zstL

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp