Skip to main content

ભૂખહડતાળ શરૂ:બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ

બોરીવલી-વેસ્ટમાં વર્ષો જૂનું બાભઈ સ્મશાનગૃહ છેલ્લા 8 મહિનાથી રિપેરિંગને બહાને બંધ કરાયું છે તેની વિરુદ્ધ 78 વર્ષીય સામાજિક કાર્યકર મીરા કામત મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડમાં મંગળવારથી બેમુદત ભૂખહડતાળ ઊતરી જતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. મીરા કામતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બોરીવલીમાં રામ મંદિર રોડ પર બાભઈ સ્મશાનગૃહમાં ગત ઓક્ટોબરથી રિપેરિંગના નામે લાકડાની 4 ચિતા મહાપાલિકાએ બંધ કરી છે. હાલમાં કમસેકમ એક ચિતા ચાલુ નહીં કરે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે. આ જગ્યા પર ભૂ-માફિયાઓનો ડોળો છે. અહીં બે ભઠ્ઠી ઈલેક્ટ્રિકની ચાલુ છે, જેનો રસ્તો બાભઈને બદલે પાછળથી વઝિરા વિસ્તારમાંથી ખુલ્લો રખાયો છે. આગળના ભાગનો રસ્તો રિપેરિંગના બહાને બંધ કરી દેવાયો છે, પરંતુ આ મામલે રહેવાસીઓએ સ્થાનિક મહાપાલિકાની કચેરીમાં રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિદ્રામાંથી તંત્ર જાગ્યુ નથી. મેં લેખિતમાં પોલીસ અને વોર્ડ ઓફિસને વાંરવાર જાણ કરી અને મિટિંગો કરી, પરંતુ તે આ સ્મશાનભૂમિ ફરીથી પહેલાની જેમ કયારે શરૂ કરશે તેની કોઈ સમયમર્યાદા આપતું નથી. તેઓ હવે એમ કહે છે કે અમે મ્હાડાને આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમ, નાગરિકો સાથે પ્રશાસકો રમત કરી રહ્યા છે. આથી મારે નાછૂટકે ભૂખહડતાળ પર ઊતરવું પડ્યું છે. હું સિનિયર સિટીઝન હોવા છતાં અહીં કોઇ સુવિધા પણ આપી નથી. અમને અહીં બેસવા દેવામાં પણ ભારે રકઝક થઈ રહી છે, પરંતુ હું જ્યાં સુધી લેખિત બાંયધરી નહીં મળે ત્યાં સુધી અહીંથી હટીશ નહીં, એમ તેમણે જણાવ્યું હતું. વોર્ડ ઓફિસરે શું કહ્યું? મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડનાં આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બાભઈ સ્મશાનગૃહ સૌથી જૂનું છે. આથી તેને રિપેરિંગ માટે બંધ કરાયું છે. અમે પહેલાં ટેન્ડર આપ્યું હતું, પરંતુ ફંડના અભાવે તે ટેકનિકલ કારણોસર મુલતવી રાખ્યું છે. હવે અમે 3 જુલાઈના મ્હાડાએ બાભઈ સ્મશાનભૂમિની રિપેરિંગની જવાબદારી લીધી છે અને તે માટે અમે મંજૂરી આપી છે. અમે આ વિગતો મીરા કામતને આપી છે, તેઓ ચોક્કસ સમયમર્યાદા અંગે લેખિત માગી રહ્યાં છે, જે શક્ય નથી, કારણ કે, અહીં હજુ અનેક સુવિધાઓ અને સગવડો શરૂ કરવાની છે. આથી ચોક્કસ સમય શક્ય નથી.


http://dlvr.it/T9zstL

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n