Skip to main content

આરોપીને ઝટકો:વલસાડના ગુંદલાવના ઉજ્જવલ નગરમાં મકાનને ભાડે રાખી ગેરકાયદેસર પોષડોડાના જથ્થાનું છૂટક વેચાણ કરવાના કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે 25મી ઓગષ્ટ 2023ના રોજ વલસાડ તાલુકાના ગુંદલાવના ઉજ્જવલ નગરમાં આવેલ એક મકાનમાં પોષડોડાનું છૂટક વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એડ કરી ચેક કરતા 80.970 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસમાં સંડોવાયેલા આરોપીની વલસાડ રૂરલ પોલીસે કરેલી કરેલી ધરપકડ બાદ આરોપીએ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ વી કે પાઠકે NDPSના ગુનાના આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. વલસાડ SOGની ટીમ 25મી ઓગષ્ટ 2023ના રોજ વલસાડ જિલ્લાના વિવિફહ વિસ્તારોમાં NDPSના ચાલતી પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગુંદલાવ ઉજ્જવલ નગર ખાતે આવેલા એક મકાનને ભાડે રાખી યુવક તે મકાનમાં ગેરકાયદેસર રીતે પોષડોડાનો જથ્થો લાવી મકાન ભાડે રાખનાર યુવક છૂટક વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી. જેને લઈને વલસાડ SOGની ટીમે છાપો મારતા મકાનમાંથી કુલ 80.970 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. તે કેસમાં મકાન ભાડે રાખનાર યુવક ફરાર થઇ જતા SOGની ટીમે યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસે વોન્ટેડ આરોપી સુનીલ પ્રેમારામ બિશનોઈને ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ પૂર્ણ થતાં આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આજ રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં NDPSના આરોપી સુનીલ પ્રેમારામ બિશનોઈએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ વી કે પાઠકે NDPSના ગુનામાં ઝડપાયેલા સુનીલ પ્રેમારામ બિશનોઈના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.


http://dlvr.it/T9zS67

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp