Skip to main content

આજે હિંમતનગર પાલિકાની સામાન્ય સભા:વિરોધ પક્ષના નેતાના પ્રશ્નોની ચર્ચા શાસક પક્ષને અકળાવશે

આજે મંગળવારે હિંમતનગર પાલિકાની મળનાર સામાન્ય સભામાં નદીમાં 10 વર્ષથી ગંદા પાણીનો નિકાલ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ, ડ્રાફ્ટ ટીપીને 12 વર્ષ થવા છતાં ફાઇનલ ટીપી કેમ નથી થઈ, શહેરના ગેરકાયદે બાંધકામોનો સર્વે કર્યા બાદ તપાસ કમિટિએ રજૂ કરેલ અહેવાલ સામાન્ય સભામાં વંચાણે લેવા સહિતના 10 મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાએ કરેલ માંગ શાસક પક્ષ માટે અકળાવનાર બની રહેનાર છે. હિંમતનગર પાલિકાની આજે સામાન્ય સભામાં 36 જેટલા કામ, અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર કામ સહિત 38 મા નંબરે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ઈમરાન અલજીવાલાએ કલમ 51/3 મુજબ રજૂ કરેલ પ્રશ્નાવલી સમાન્ય સભામાં રજૂ થનાર છે. જેમાં તેમણે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા શ્રમિકોને પૂરો પગાર ન ચૂકવી એજન્સીઓ શ્રમિકોનું શોષણ કરતી હોઈ શ્રમિકોને પૂરો પગાર ચૂકવાય તે સુનિશ્ચિત કરવામાં આવે, હસનનગર વણઝારાવાસ આવાસ બ્લોક ભૂગર્ભ ગટરનું ગંદુ મળયુક્ત પાણી છેલ્લા10 વર્ષથી નદીમાં નખાય છે તથા સ્લોટર હાઉસની તમામ ગંદકી નદીમાં ઠલવાય છે. જેનું પાલિકા પ્રમુખે નિરીક્ષણ પણ કર્યું હતું તેનો નિકાલ કેમ આવ્યો નથી, પે એન્ડ યુઝ બંધ છે અસામાજિક પ્રવૃત્તિ થાય છે તેની રજૂઆતને પણ 7 માસ વિતી ગયા છે, પાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરે ગેરકાયદે બાંધકામો માટે નિમેલ કમિટીનો અહેવાલ સભામાં વંચાણે લઈ કરેલ કાર્યવાહી જાહેર કરવા,કૂતરાંઓનો આતંક વધી ગયો છે તેના ખસીકરણ માટે આયોજન થાય. ગેરકાયદેસર કામ કરી નિયમોનો સરેઆમ ભંગ કરતી હોર્ડીંગ એજન્સીઓ વિરુદ્ધ શંુ કાર્યવાહી કરી, સ્ટ્રીટ લાઈટ માટે 66 લાખના ખર્ચે એજન્સી રોકવા છતાં અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ કેમ રહે છે, સને 2012માં ડ્રાફ્ટ ટીપી અમલી બનાવવા છતાં 12 વર્ષે પણ ફાઇનલ ટીપીમાં પરિવર્તિત કેમ નથી થઈ સહિતના પ્રશ્નો શાસક પક્ષ માટે પીડાકારક બની રહેનાર છે. કારણ નદીને અપવિત્ર થતી અટકાવવી, ટીપી ફાઇનલ, ગેરકાયદેસર બાંધકામો, શ્રમિકોનું શોષણ અટકાવવું, હોર્ડિંગ્સ એજન્સીઓને ખોટું કરતા અટકાવવી બધી જવાબદારી શાસક પક્ષની છે જે નિયમિત કરાવવા વિરોધ પક્ષના નેતા માંગ કરી રહ્યા છે.


http://dlvr.it/TBF0pf

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n