Skip to main content

માર્ગોની પણ અત્યંત ખરાબ હાલત:પાણી, પ્રદૂષણ, ગંદકીના પ્રશ્ને પિસાતી સિહોરની જનતા

સિહોરએ એક ઔદ્યોગિક નગર છે.શહેરમાં ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. ઉપરાંત સિહોરમાંથી ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી સિહોરમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ રહેતું હોય છે. સાથો-સાથ પાણી અને ઊભરાતી ગટરની રોજિંદી સમસ્યાથી સિહોરવાસીઓ ત્રસ્ત બની ગયા છે.અધુરામાં પુરૂ હોય તેમ ચોમાસુ આવે એટલે સિહોર માર્ગો પણ અત્યંત ખાડાવાળા બની જયા છેઆ અંગે નક્કર આયોજન થાય અને સિહોરવાસીઓને પાયાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એવી નગરજનો આશા સેવી રહ્યા છે. સિહોરમાં ભર ચોમાસે પણ મોટાભાગના વિસ્તારોમાં આઠ-દસ દિવસે પાણી વિતરણ થાય છે જે કદાચ ભાવનગર જિલ્લાનું એક માત્ર શહેર હશે કે જ્યાં આટલા લાંબા ગાળાના દિવસો પછી પાણી વિતરણ થતું હોય છે. સિહોરમાં નગરજનોએ પાણી માટે વલખા મારવા પડે છે. ગંદકી વિશે તો વાત જ ન પૂછો. સિહોરમાં ભાગ્યે જ એવી કોઇ શેરી હશે કે જ્યાં ગટર ઊભરાતી ન હોય.
સરકાર દ્વારા ગટર માટે અગાઉ ગ્રાન્ટ તો આપવામાં આવી હતી પણ ક્યાં અને કેટલી વપરાઇએ આજે પણ સિહોરવાસીઓ માટે એક કોયડો છે. ચોમાસામાં એક વરસાદ આવ્યો નથી કે ગટર ઊભરાવી શરૂ થઇ નથી. એમાંય જૂના સિહોરમાં હાલત ખૂબ જ બદત્તર છે. સિહોરમાંથી હાઇ-વે પસાર થાય છે અહીંથી દરરોજના અસંખ્ય વાહનો પસાર થાય છે. ઉપરાંત જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. આ બધામાંથી નીકળતો ધુમાડો આ શહેરને વધુ પ્રદૂષિત કરે છે. આજે સિહોરની જનતા અનેકવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. છતાં તંત્ર બેધ્યાન છે. દોઢેક વરસથી નગર પાલિકા નધણિયાત ફેબ્રુઆરી -2023માં નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂરી થઇ ગઇ હતી. આ ટર્મ પૂરીને થયા દોઢેક વરસ જેટલો લાંબો સમયગાળો પસાર થઇ ગયો છે.જ્યારથી આ ટર્મ પૂરી થઇ ત્યારથી નગરપાલિકા સાવ નધણિયાત બની ગઇ છે. વહીવટદાર અને ચીફ ઑફિસરના હવાલે આખી નગરપાલિકાનું તંત્ર છે. નગરપાલિકા અત્યારે સાવ નધણિયાત બની ગઇ છે. લોકોની પાયાની સમસ્યાનું સમાધાન થતું નથી. કોઇ ઉકેલ આવતો નથી. છે ત્યારે પાયાના પ્રશ્નોને નજરઅંદાઝ ન કરી શકાય. આ બાબત અત્યંત ગંભીર છે. અને આ બાબતને હળવાશથી લેવામાં આવશે તો નગરજનોના પ્રશ્નો ક્યારે ઉકેલાશે એ પણ એક વેધક સવાલ છે.


http://dlvr.it/TBBNt4

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp