Skip to main content

જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો:ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી; ડ્રોન કેમેરાથી ધોધનો આહલાદક આકાશી નજારો

ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી છે. બીજી તરફ ગીરમાંથી પસાર થતી શિંગોડા નદી જે ગીરગઢડાના જામવાળાથી પસાર થાય છે. જામવાળા જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે આ ધોધનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. જેનો આકાશી દૃશ્યોવાળો અદભુત નજારો જોવા મળ્યો છે. જમજીર ધોધનો આહલાદક નજારો
ગીરગઢડાના જામવાળા ગીરમાં આવેલા લોકપ્રિય જમજીર ધોધને હજારો ફુટ ઉંચાઇ પરથી લીધેલા આ દૃશ્યો જે ગીરમાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે જળ બંબાકાર થયો છે. નદીઓ વહેતી થઈ છે તો ડેમો પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલા ફેમસ જમજીર ધોધના રોદ્ર સ્વરૂપની સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. શિંગોડા નદી ગાંડીતુંર બની
​​​​​​​જોકે જામવાળા શિંગોડા નદીના કાંઠે જમદગ્નિ આશ્રમ પણ આવેલો છે. આ જમજીરનો ધોધ નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જો કે ધોધ પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી જવાથી અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ ઓવરફલો થાય છે. શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. સાથે જ આ સુંદર ધોધનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.


http://dlvr.it/TB6gtM

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp