Skip to main content

તસ્કરો બેફામ:માંડવીમાં બંધ ઘરનું તાળું તોડી 2.26 લાખની ઘરફોડી કરાઇ

માંડવીમાં નાગલપર રોડ પર સુંદરવન સોસાયટીમાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યો હતો અને દરવાજાનું તાળુ તોડી રોકડ અને દાગીના સહીત કુલ રૂપિયા 2.26 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે. રહેણાક વિસ્તારમાં ચોરી થતા સ્થાનિકે રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસ દ્વારા તાકીદના ધોરણે આરોપીને ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દિનેશભાઈ હીરજીભાઈ વોરાએ માંડવી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે ગત 23 જુલાઈના પોતાના ઘરને તાળો લગાવી કામ અર્થે મુંબઈ ગયા હતા અને તેમની પત્ની ગુંદાલા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન શુક્રવારે તેમના વેવાણે ફોન કરી ઘરનો દરવાજો તૂટેલો હોવાનું અને ઘરમાં ચોરી થઇ હોવાનું કહ્યું હતું.જેથી ફરિયાદી તરત જ મુંબઈથી પોતાના ઘરે આવવા નીકળ્યા હતા.ઘરે આવ્યા બાદ તપાસ કરતા બેડરૂમમાં રાખેલ તિજોરીમાંથી રોકડ રૂપિયા 22,400 અને રૂપિયા 80 હજારની કિંમતના ચાંદીના દાગીના તેમજ રૂપિયા 1.20 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 2.26 લાખની મત્તા ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે માંડવી પોલીસે ગુનો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સ સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


http://dlvr.it/TB8rqk

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n