Skip to main content

અમદાવાદમાં ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે:ટેક્સી ડ્રાઈવરોની હડતાળમાં કંપની સાથે સમાધાન, ઓલાએ ડ્રાઇવરોને પ્રતિ કિમી રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી

અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા-ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટોરિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે પરંતુ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટોરિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. ઉબેર કંપનીનો 30% વધારો ટેક્સી ડ્રાઈવરોને મંજૂર નથી
ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ટેક્સીચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા. જેમાં ગતરાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઇવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવવધારાનું ભારણ ઝીંકાયું
ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. એટલે કે, જો ડ્રાઈવરને રૂ. 20 પ્રતિ કિમી ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે. કારણ કે, તેની ઉપર ડ્રાઇવરો દ્વારા જીએસટી સહિતના વિવિધ ટેક્સ લાદવામાં આવે છે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવવધારાનું ભારણ રહેશે અને મુસાફરોએ વધુ રકમ ચૂકવવી પડશે. સામાન્ય સ્થિતિ ધરાવતા ડ્રાઇવરોને જ ફાયદો થશે
અમદાવાદ સિટી ટેક્સી યુનિયનના આગેવાન કિશોર ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારથી ઓલા, ઉબેર ટેક્સીચાલકોની હડતાળ હતી ત્યારથી આ એપ્લિકેશન દ્વારા રાઈડ લેતા ડ્રાઇવર માટે ખૂબ મુશ્કેલીભર્યા દિવસો રહ્યા હતા. કારણ કે, અન્ય ડ્રાઈવરો દ્વારા કેટલીક વખત મુસાફરોને ઉતારી દેવામાં આવતા હતા અને આંદોલનને સમર્થન કરવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવતું હતું. સિટી ટેક્સીના મુસાફરોને પણ આ પ્રકારે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સિટી ટેક્સી ડ્રાઇવરો દ્વારા ઓલા અને ઉબેર એપ્લિકેશનના આંદોલનમાં સમર્થન આપવામાં આવતું નહોતું. પરંતુ જો આ ઓનલાઈન એપ્લિકેશન કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર દીઠ ભાવવધારો કરવામાં આવે તો એ સારી બાબત છે. કારણ કે તેના લીધે સામાન્ય સ્થિતિ ધરાવતા ડ્રાઇવરોને જ ફાયદો થશે. પરંતુ પેસેન્જરના ખર્ચાનું ભારણ વધી જશે. એટલે કે મુસાફરોએ હવે વધુ ભાડું ચૂકવવું પડશે. ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ શરૂ કરી હતી
અમદાવાદ શહેરમાં 24 જુલાઈના રોજ રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો વચ્ચે ખટરાગ હતો. ઓલા અને ઉબેર ટેક્સીચાલકો દ્વારા 23 જુલાઈના રોજ રાત્રે બંધના એલાને સમર્થન ન આપવાનું જણાવ્યું હતું. પરંતુ સાથે સિટી ટેક્સીએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ 24 જુલાઈએ અમદાવાદ આરટીઓ દ્વારા ટુ-વ્હીલરચાલકો સામે દંડની જોગવાઈ કરી હતી. પરંતુ ઓલા અને ઉબેર કંપનીઓ દ્વારા ભાવવધારો ન કરવામાં આવતા આ ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ શરૂઆત કરી હતી. ટેક્સીચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ
ટેક્સીચાલકોમાં પણ બે ફાટા પડ્યા હતા. જ્યારે સિટી ટેક્સીચાલકો દ્વારા રાબેતા મુજબ પેસેન્જર લઈને ટેક્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ ઓલા અને ઉબેર એપ્લિકેશન દ્વારા ટેક્સીચાલકોએ હડતાળને સમર્થન ચાલુ રાખ્યું હતું. અમદાવાદમાં ગઈકાલે સાંજે એરપોર્ટ ખાતે લગભગ 1500થી 2000 ટેક્સીચાલકોએ બંધ રખાતા કંપની દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. લગભગ ચાર દિવસથી ઓલા અને ઉબેર ટેક્સીચાલકો દ્વારા રાઇડ ન લેવામાં આવતા કંપનીએ સમાધાન કર્યું હોવાની માહિતી મળી હતી.


http://dlvr.it/TBFCf4

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp