Skip to main content

ફરિયાદ:રાણાકંડોરણા ગામે આધેડને 2 શખ્સોએ લાકડીથી માર માર્યો

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામના વાડી વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે 2 શખ્સોએ એક આધેડને જમીનના રસ્તા બાબતે બોલાચાલી થતા માથાકૂટ સર્જાઇ હતી. આ માથાકૂટમાં 2 શખ્સોએ આધેડને લાકડીઓ વડે માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે ઠોયાણા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઇ ગીગાભાઇ કારાવદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજના સમયે હમીરભાઇને તે જ વિસ્તારમાં રહેતા દેવશીભાઇ અરજનભાઇ કેશવાલા અને હાર્દિક દેવશીભાઇ કેશવાલા નામના શખ્સો સાથે જમીનના રસ્તા બાબતે બોલાચાલી થઇ હતી. બાદમાં આ બોલાચાલી દરમિયાન દેવશીભાઇ તથા હાર્દિક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને આ બંને શખ્સોએ હમીરભાઇને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી હતી. અને લાકડીઓ વડે માર માર્યો હતો હમીરભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ માથાકૂટમાં હમીરભાઇને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી જેથી હમીરભાઇએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે દેવશીભાઇ તથા હાર્દિક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના હે.કો. એમ. જી. કડેગીયાએ હાથ ધરી છે.


http://dlvr.it/TBL2fV

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n