Skip to main content

TRP ગેમઝોન અગ્નિકાંડ:રાજકોટ અગ્નિ કાંડમાં બે અધિકારી સામે તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ અગ્નિકાંડે સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવ્યો છે. આ કાંડમાં સંડોવાયેલાં અધિકારીઓ સામે આંગળી ચિંધાઇ હોવાથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ( એસીબી ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના ભાગરૂપે એસીબીના અધિક નિયામક બિપીન આહીરના વડપણ હેઠળ એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ મંગળવારે રાજકોટ પહોંચીને તપાસનો પ્રારંભ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ ટીમ દ્વારા રાજકોટના ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ
રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની બેદરકારીના કારણે સમગ્ર બનાવ બન્યો હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેથી રાજકોટવાસીઓ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઉહાપોહના કારણે સરકાર તરફથી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાથી માંડીને તેમની સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ આદેશના પગલે રાજકોટના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી. સાંગઠીયા તથા રાજકોટના ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડે સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવ્યો આ અધિકારીઓ સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્રારા એસીબીના અધિક નિયામક બિપીન આહીરેના વડપણ હેઠળ આસીસ્ટન્ટ નિયામક અશ્વિન પટેલ સહિત ચાર પોલીસ ઇન્સ્પેકટરો જેમાં પટેલ, લાલીવાલા, બારોટ, વી.બી. આલનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ રાજકોટ ખાતે પહોંચી જઇને તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ જયારે આરોપીના ઘરે જડતી અને પંચનામુ કરવા જાય તેની સાથે ની સાથે એસીબીના અધિકારીઓ જતાં હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. જો કે એસીબીએ કોઇ આરોપીના ઘરે સ્વતંત્ર દરોડા પાડયાં નહીં હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ કાંડના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો નથી
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એસીબીએ હાલ રાજકોટ કાંડના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો નથી. પરંતુ તપાસ દરમિયાન જો આવક કરતાં અપ્રમાણસરની મિલકત મળી આવશે તો તેમની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. આ અંગે અધિક નિયામક બિપીન આહીરેનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.


http://dlvr.it/T7csJN

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...