Skip to main content

ભાસ્કર વિશેષ:બાળકોમાં ડિહાઈડ્રેશન ટાળવા ORSનું સેવન જરૂરી

કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો એનએફએચએસ-5 ડેટા દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે. નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શક્તિશાળી સમાધાન છે, જે ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ખાધ પરી કરીને ગૂંચ નિવારે છે અને ઝડપી રિકવરી કરે છે. અત્રે નોંધનીય છે કે ઓઆરએસ અસરકારક હોવા સાથે સુરક્ષિત પણ છે. ખોટી સોલ્ટ અથવા શુગરની રચનાઓનો ઉપયોગ કરવાથી અવરોધરૂપ પરિણામો આવી શકે છે.”ગ્લેનઈગલ્સ હોસ્પિટલ, પરેલ, મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના મુખ્ય અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. લલિત વર્મા સમજાવે છે, “ડિહાઈડ્રેશન પછી અતિસારને નાથવા માટે ઓઆરએસનો યોગ્ય પ્રકાર પસંદ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. ઓઆરએસ અને વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ શુગર આધારિત પીણાં વચ્ચે ફરક સમજવો તે મહત્ત્વપૂર્ણ છે. આ પીણાં મર્યાદિત માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પાણીની ખાધ પૂરી કરી શકે છે, પરંતુ તેમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઝડપી શોષકતા માટે જરૂરી મહત્ત્વપૂર્ણ ગ્લુકોઝ- સોડિયમ અને પોટેશિયમના પ્રમાણનો અભાવ છે, જે ડિહાઈડ્રેશનનો ઉપચાર કરવા માટે અત્યંત અનિવાર્ય છે.”
અતિસાર સાથેના 60.6 ટકા ભારતીય બાળકો જીવનદાયી ઓઆરએસની તક ચૂકી જાય છે. અતિસાર બાળકોની મરણાધીનતામાં તૃતીય ક્રમે આવે છે, જે ઓઆરએસ પ્રત્યે વધુ જાગૃતિ પર ભાર આપે છે. ઓઆરએસઃ ડિહાઈડ્રેટેડ બાળકોમાં ઝડપી રિકવરી માટે સરળ, શક્તિશાળી સમાધાન છે. ઉનાળામાં હાઈડ્રેટેડ રહો, ડબ્લ્યુએચઓએ ભલામણ કરેલું ઓઆરએસ અજમાવો. સૂઝબૂઝપૂર્વક પસંદગી કરોઃ અસરકારક ડિહાઈડ્રેશનન ઉપચાર માટે શુગરવાળાં પીણાં સામે ડબ્લ્યુએચઓ માન્ય ઓઆરએસ.


http://dlvr.it/T7K7kF

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...