Skip to main content

અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં:ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ, પહેલીવાર ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારે એક્શન ભૂમિકામાં જોવા મળી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરોને જેની પાસે ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના ચાર અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC અને પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી અલગ-અલગ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. પ્રથમ વખત ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC, સ્ટ્રક્ચર અને પોલીસ પરવાનગી અનેગ ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગોતાના ફન્ગ્રીટો અને હોય એન્ડ જોય, આનંદનગરના ગેમિંગ ઝોન અને નિકોલમાં ફન કેમ્પ્લમાં ફાયર NOC તથા પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં બે, આનંદનગરમાં એક અને નિકોલમાં સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી જાટે જણાવ્યું હતું કે, હાલ આ સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ટૂંક સમયમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભરાઈએ જણાવ્યું હતું કે આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.


http://dlvr.it/T7WkvF

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n