Skip to main content

રજૂઆત:શાળાઓ શરૂ થાય તે પૂર્વે કચ્છમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરવા માંગ

સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ઘટ નિવારવા અવારનવાર રજૂઆતો થાય છે.ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં માસ્તર મળતા નથી અથવા જે આવે છે તે બદલી કરાવી જાય છે પરિણામે સ્ટાફઘટનો મુદ્દો ઉકેલાતો નથી ત્યારે જિલ્લામાં શિક્ષકોની કાયમી ભરતી કરવા અથવા જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા તેમજ ટેટ-ટાટ પાસના નિયમોને દૂર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. ગત શૈક્ષણિક વર્ષથી ચાલુ થયેલ જ્ઞાન સહાયકની યોજનામાં વય મર્યાદા તેમજ ફરજિયાત ટેટ-ટાટ પાસના નિયમોને કારણે અંતરીયાળ ગામોમાં જ્ઞાન સહાયક મળતા નથી અને જો મળે છે તો લાંબો સમય ટકતા નથી.આ બન્ને પરિસ્થિતિમાં કચ્છનું શિક્ષણ કથળે છે. જ્ઞાન સહાયક માત્ર એક વચગાળાની રાહત છે.શક્ય હોય તો કચ્છમાં શિક્ષણની વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાનોની ખાલી જગ્યા પર ભરતી કરાય તો આ પ્રશ્ન ઉકેલાઇ શકે તેમ છે કચ્છની ઘણી શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે,જેની પણ બદલી થઈ હોવાથી જગ્યા ખાલી રહે છે.સ્થાનિક ભરતી દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.


http://dlvr.it/T7Tc0z

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n