Skip to main content

આયોજન:મહારાષ્ટ્ર સામે દુકાળ, કમોસમી વરસાદની ચિંતાઃ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક

મહારાષ્ટ્ર પર એક પછી એક આવી રહેલાં સંકટને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી એકનાથ શિંદે લોકસભાની ચૂંટણીનનાં પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાપાલિકાઓને થાણે મહાપાલિકાના ધોરણે તેમની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. બેઠકમાં ત્રણ ગંભીર સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારો દુકાળગ્રસ્ત છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી, બીજી તરફ રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું તેને કારણે થયેલા નુકસાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજું અને સૌથી મહત્ત્વનું રાજ્યમાં 10-11 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેતાં અનેક ચોમાસા પુર્વેનાં કામ પૂરા કરવાના છે, આખા રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન પર સરકાર કામ કરી રહી છે. ચોમાસામાં થનારા વરસાદી રોગનો સામનો કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે, એમ શિંદેએ જણાવ્યું હતું. રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરો, ડિવિઝનલ કમિશનરો, સંરક્ષણ દળોના પ્રતિનિધિઓ, રેલવે અને પોલીસની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફના વડા આ બેઠકમાં હાજર હતા. પહેલાં રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ચારાની વ્યવસ્થા કરવા માટે કલેક્ટરો અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના જે વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે નુકસાન થયું છે તેની આકારણી કરીને વહેલામાં વહેલી તકે તેમને મદદ પહોંચાડવા પર ચર્ચા કરવામાં આવી હતી. સંપર્ક કપાતાં સહાય
તેમણે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ જાય છે તેમને અનાજનો અને દવાઓનો પુરવઠો કેવી રીતે કરવાનો તેની તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તાકીદની સ્થિતિમાં અન્ય રાજ્યોનો સંપર્ક સ્થાપિત કરવા માટે યંત્રણા તૈયાર કરવાનો આદેશ તેમણે આપ્યો હતો. સંકટના સમયે લોકોમાં જાગૃતિ કેવી રીતે ફેલાવી શકાય અને આવી રહેલા સંકટ અંગે તેમને વહેલામાં વહેલી તકે કેવી રીતે જાગૃત કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં રહેલી જોખમી ઈમારતો અને ભેખડ ધસી પડવાના સંભવિત સ્થળોમાં રહેનારા લોકોને ચોમાસા દરમિયાન સુરક્ષિત સ્થળે ખસેડવા અંગે પગલાં લેવાનો નિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યો હતો. પૂર અને ભૂસ્ખલન
ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલન જેવા બનાવો માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પહોંચે ત્યાં સુધી મહાનગરપાલિકાની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય તો રાહત અને પુનર્વસનના કામમાં ઝડપ આવી શકે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે થાણે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીડીઆરએફના ધોરણે રાજ્યમાં દરેક જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવી શકાય. તેમણે રાજ્યમાં એસડીઆરએફની ટીમની સંખ્યામાં પણ વધારો કરવાનો સંકેત આપ્યો હતો. આખા રાજ્યમાં 486 સ્થળને ભૂસ્ખલનના સંભવિત સ્થળો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. ચોમાસામાં આવતા પૂર માટે આંતરરાજ્ય નદીઓ માટે સંકલન સમિતિ ગઠિત કરવામાં આવશે એવી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશ, તેલંગણા અને કર્ણાટક રાજ્યની સાથે મળીને આ કામ કરવામાં આવી રહ્યું છે.


http://dlvr.it/T7ZngJ

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n