Skip to main content

આયોજન:મહારાષ્ટ્ર સામે દુકાળ, કમોસમી વરસાદની ચિંતાઃ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક

મહારાષ્ટ્ર પર એક પછી એક આવી રહેલાં સંકટને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી એકનાથ શિંદે લોકસભાની ચૂંટણીનનાં પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાપાલિકાઓને થાણે મહાપાલિકાના ધોરણે તેમની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. બેઠકમાં ત્રણ ગંભીર સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારો દુકાળગ્રસ્ત છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી, બીજી તરફ રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું તેને કારણે થયેલા નુકસાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજું અને સૌથી મહત્ત્વનું રાજ્યમાં 10-11 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેતાં અનેક ચોમાસા પુર્વેનાં કામ પૂરા કરવાના છે, આખા રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન પર સરકાર કામ કરી રહી છે. ચોમાસામાં થનારા વરસાદી રોગનો સામનો કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે, એમ શિંદેએ જણાવ્યું હતું. રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરો, ડિવિઝનલ કમિશનરો, સંરક્ષણ દળોના પ્રતિનિધિઓ, રેલવે અને પોલીસની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફના વડા આ બેઠકમાં હાજર હતા. પહેલાં રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ચારાની વ્યવસ્થા કરવા માટે કલેક્ટરો અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના જે વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે નુકસાન થયું છે તેની આકારણી કરીને વહેલામાં વહેલી તકે તેમને મદદ પહોંચાડવા પર ચર્ચા કરવામાં આવી હતી. સંપર્ક કપાતાં સહાય
તેમણે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ જાય છે તેમને અનાજનો અને દવાઓનો પુરવઠો કેવી રીતે કરવાનો તેની તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તાકીદની સ્થિતિમાં અન્ય રાજ્યોનો સંપર્ક સ્થાપિત કરવા માટે યંત્રણા તૈયાર કરવાનો આદેશ તેમણે આપ્યો હતો. સંકટના સમયે લોકોમાં જાગૃતિ કેવી રીતે ફેલાવી શકાય અને આવી રહેલા સંકટ અંગે તેમને વહેલામાં વહેલી તકે કેવી રીતે જાગૃત કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં રહેલી જોખમી ઈમારતો અને ભેખડ ધસી પડવાના સંભવિત સ્થળોમાં રહેનારા લોકોને ચોમાસા દરમિયાન સુરક્ષિત સ્થળે ખસેડવા અંગે પગલાં લેવાનો નિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યો હતો. પૂર અને ભૂસ્ખલન
ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલન જેવા બનાવો માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પહોંચે ત્યાં સુધી મહાનગરપાલિકાની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય તો રાહત અને પુનર્વસનના કામમાં ઝડપ આવી શકે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે થાણે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીડીઆરએફના ધોરણે રાજ્યમાં દરેક જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવી શકાય. તેમણે રાજ્યમાં એસડીઆરએફની ટીમની સંખ્યામાં પણ વધારો કરવાનો સંકેત આપ્યો હતો. આખા રાજ્યમાં 486 સ્થળને ભૂસ્ખલનના સંભવિત સ્થળો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. ચોમાસામાં આવતા પૂર માટે આંતરરાજ્ય નદીઓ માટે સંકલન સમિતિ ગઠિત કરવામાં આવશે એવી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશ, તેલંગણા અને કર્ણાટક રાજ્યની સાથે મળીને આ કામ કરવામાં આવી રહ્યું છે.


http://dlvr.it/T7ZngJ

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...