Skip to main content

ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કાર્યવાહી:અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું, ફાયર સુવિધા ના હોય એવા એકમોને નોટિસ આપી

કોઈપણ એકમ હોય તેમાં કોઈ દુર્ઘટના ના સર્જાય અને જો દુર્ઘટના સર્જાય તો એમાંથી કાઈ રીતે બચી શકાય એ માટે સરકાર દ્વારા બનાવેલ નિયમ મુજબની સાધન સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એ માટે અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં જે દુર્ઘટના બની તેના પછી દરેક જિલ્લા કલેક્ટરને જિલ્લામાં એક સમિતિ બનાવવા અને એ સમિતિ દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા નિયમોનુસાર છે કે નહીં વગેરે બાબતે તપાસ કરવા હુકમ કરતા અરવલ્લીમાં મોડાસા નગરપાલિકા સીઓના અધ્યક્ષસ્થાને અલગ અલગ વિભાગના સાત કર્મચારીઓની સમિતિ બનાવીને મોડાસા શહેરના અલગ અલગ 35 એકમોમાં તપાસ હાથ ધરી હતી અને જેમાં ત્રણ ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા ના હતી. તેમજ અન્ય બે એકમોમાં પણ ફાયર સેફટીના અભાવના કારણે નોટીસ આપી હતી અને દિન 3માં ફાયર સુવિધા એનઓસી વગેરેની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. આમ તંત્રએ લાલ આંખ કરતા અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.


http://dlvr.it/T7b0lz

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n