Skip to main content

લગ્ન જીવનના વિવાદનો વિચિત્ર કિસ્સો:પત્નીને છોડી પ્રેમિકા સાથે લિવઇનમાં રહેતા પતિનો ભાંડો ફૂટ્યો, પત્ની-પ્રેમિકાએ ભેગા મળી માર માર્યો

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. 2012ના વર્ષમાં રેલવે કર્મચારી અને તેની પત્ની વચ્ચે લગ્ન સંબંધી વિવાદ સર્જાયો હતો. જેથી પત્નીએ તેની સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટ કેસ દરમ્યાન પતિ મહિલા નર્સ સાથે પરિચયમાં આવ્યા હતા અને ઘરના કંકાસની તમામ વાતો કરીને નર્સ સાથે સંબંધ વધાર્યા હતા. તેણે નર્સ પાસેથી સહાનુભૂતિ મેળવવા ખોટું બોલીને એવું જણાવ્યું હતું કે તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. રેલવેમાં નિયમિત અપડાઉન કરતી નર્સ સાથે રોજે મળવાનું થતા તેણે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નર્સને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે પછી નર્સે લિવ ઇન રિલેશનશિપનો કરાર કર્યો હતો. પતિ તરફથી એડવોકેટ પીયૂષ લાખાણીએ કોર્ટમાં એવી દલીલ કરી હતીકે, લગ્નની જેમ જ સાથે રહેતા થોડા સમય પછી રેલવે કર્મચારીએ નર્સ પ્રેમિકા પાસેથી સોનાના દાગીના પોતાના બેંકના લોકરમાં મૂકી દેવા કહ્યું હતું. ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન થવાના હોવાના વિશ્વાસે નર્સે તમામ દાગીના તેના બેંક લોકરમાં મૂકવા આપી દીધા હતા. તેના થોડા વર્ષ પછી રેલવે કર્મચારીએ એવું કહ્યું હતું કે આપણે લગ્ન પછી રાજકોટ રહેવા જતા રહીશું તેથી થોડા પૈસા આપે તો મકાન ખરીદી લઈએ. તેથી નર્સે મકાન ખરીદવા પણ પૈસા આપ્યા હતા. થોડા વર્ષો પછી આ વ્યકિતને તેની પત્ની સાથે સમાધાન થઈ ગયું હતું. પરંતુ તેની જાણ તેણે નર્સને કરી નહોતી અને વારાફરતી બન્ને સાથે રહેવા લાગ્યો હતો. અંતે એક દિવસ પતિ તેમજ લિવ ઇન પાર્ટનરનો ડબલ રોડ કરતો રેલવે કર્મચારી ઝડપાઈ જતા બંનેએ ભેગા મળી તેને ફટકાર્યો હતો. પ્રેમિકા પહેલી પત્નીના ઘરે જતાં ઘટસ્ફોટ થયો
નર્સ પ્રેમિકાને તેના પ્રેમી પર શંકા જતા તેણે એક દિવસ પીછો કર્યો હતો. તે તેના પતિની પહેલી પત્નીના ઘરે પહોચી હતી.ત્યાં તેને જાણ થઇ હતી કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે.તેની પત્ની સાથે છૂટાછેડા થયા નથી. બીજી તરફ તેની પત્નીને પણ આ મહિલા સાથેના સંબંધો વિશે જાણ થતા તેના પતિ સામે આક્રોશ ભભૂકી ઉઠયો હતો. પ્રેમિકાએ લગ્ન કરવાનું કહેતા તેણે ઇન્કાર કરી દીધો હતો.પ્રેમિકા અને પત્નીએ બન્નેએ ભેગા થઇને તેને માર માર્યો હતો. પ્રેમિકાએ દુષ્કર્મ-છેતરપિંડીની ફરિયાદ કરી
પ્રેમિકાએ આ વ્યકિત સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, તેમાં એવી રજૂઆત કરી હતી કે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને છૂટાછેડા આપ્યા હોવાનું ખોટું બોલીને લાખો રૂપિયા પડાવી લીધા છે.આ અંગે કેસ ચાલી જતા કોર્ટે પતિ-પત્ની સામેના ચાર્જમાંથી મુક્ત કર્યા હતા.


http://dlvr.it/T7JwYZ

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...