Skip to main content

પરંપરા:દ્વારકાના ગોમતી ઘાટ પર ચુંદડી મનોરથ‎

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ‎જગત મંદિરમાં સેવા‎પૂજા-યજમાનવૃત્તિ કરનાર‎ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા‎મંડળ દ્વારા વૈશાખ સુદ‎પૂર્ણિમાના દિવસે ભવ્ય ચુંદડી‎મનોરથ ઉજવવામાં આવ્યો‎હતો.દ્વારકાધીશ જગત મંદિરના‎સ્વર્ગદ્વાર 56 સીડી પાસે‎ગોમતીઘાટ પરના ગોમતી‎મંદિરથી સામેના ઘાટ પંચ તીર્થ‎સુધીની માં ગોમતીને ચુંદડી‎અર્પણ કરવામાં આવી હતી.‎ આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણ‎જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ સહિત‎કારોબારી સદસ્યો તેમજ મહિલા‎મંડળ સદસ્યો વિશેષ ઉપસ્થિત‎રહ્યા હતા.ગોમતી મંદિરમાં‎ચુંદડીનું વિધિવિધાનથી પૂજન ‎‎કરી ગોમતીઘાટ પર ગોમતી ‎‎માતાની આરતી કર્યા બાદ‎ગોમતી નદી પર લગભગ 35 ‎‎જેટલી સાડીઓ સાથે એકત્ર કરી ‎‎ચુંદડી મનોરથ ઉજવવામાં‎આવ્યો હતો.‎ ગોમતી મંદિરના પૂજારી ‎‎ચંદ્રેશભાઇ દ્વારા ચુંદડી મનોરથનું ‎‎મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. ‎‎અત્રે ઉલ્લેખનીય છે કે,આ પરંપરા ‎‎ગંગાજી, યમુનાજી, નર્મદાજી‎વગેરે સ્થાનો પર પૌરાણિક‎કાળથી ચાલી રહી છે ત્યારે‎દ્વારકામાં દ્વારકા પૂર્વ ‎‎શારદાપીઠાધીશ્વર બ્રહ્મલીન ‎‎શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ‎‎સરસ્વતીજી મહારાજની‎આજ્ઞાથી આ પરંપરાની શરૂઆત‎કરવામાં આવી છે.‎


http://dlvr.it/T7Mfk2

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp