Skip to main content

પરંપરા:દ્વારકાના ગોમતી ઘાટ પર ચુંદડી મનોરથ‎

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ‎જગત મંદિરમાં સેવા‎પૂજા-યજમાનવૃત્તિ કરનાર‎ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા‎મંડળ દ્વારા વૈશાખ સુદ‎પૂર્ણિમાના દિવસે ભવ્ય ચુંદડી‎મનોરથ ઉજવવામાં આવ્યો‎હતો.દ્વારકાધીશ જગત મંદિરના‎સ્વર્ગદ્વાર 56 સીડી પાસે‎ગોમતીઘાટ પરના ગોમતી‎મંદિરથી સામેના ઘાટ પંચ તીર્થ‎સુધીની માં ગોમતીને ચુંદડી‎અર્પણ કરવામાં આવી હતી.‎ આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણ‎જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ સહિત‎કારોબારી સદસ્યો તેમજ મહિલા‎મંડળ સદસ્યો વિશેષ ઉપસ્થિત‎રહ્યા હતા.ગોમતી મંદિરમાં‎ચુંદડીનું વિધિવિધાનથી પૂજન ‎‎કરી ગોમતીઘાટ પર ગોમતી ‎‎માતાની આરતી કર્યા બાદ‎ગોમતી નદી પર લગભગ 35 ‎‎જેટલી સાડીઓ સાથે એકત્ર કરી ‎‎ચુંદડી મનોરથ ઉજવવામાં‎આવ્યો હતો.‎ ગોમતી મંદિરના પૂજારી ‎‎ચંદ્રેશભાઇ દ્વારા ચુંદડી મનોરથનું ‎‎મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. ‎‎અત્રે ઉલ્લેખનીય છે કે,આ પરંપરા ‎‎ગંગાજી, યમુનાજી, નર્મદાજી‎વગેરે સ્થાનો પર પૌરાણિક‎કાળથી ચાલી રહી છે ત્યારે‎દ્વારકામાં દ્વારકા પૂર્વ ‎‎શારદાપીઠાધીશ્વર બ્રહ્મલીન ‎‎શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ‎‎સરસ્વતીજી મહારાજની‎આજ્ઞાથી આ પરંપરાની શરૂઆત‎કરવામાં આવી છે.‎


http://dlvr.it/T7Mfk2

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n