Skip to main content

ફરિયાદ:મોડાસામાં બસ પોર્ટ સામે શાકભાજી ખરીદવા આવેલી મહિલાની લારીના વેપારીએ છેડતી કરી

મોડાસા શહેરના હાર્દ સમાન ગણાતા નવા એસટી ડેપો સામે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની શાકભાજીના વેપારીએ છેડતી કરતાં મામલો બિચક્યો હતો. ઘટનાના પગલે ટાઉન પોલીસ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. મહિલાની છેડતીને લઈને આક્રોશમાં આવેલા લોકોએ શાકભાજી લારી પણ ઊંધી વાળી દીધી હતી છેડતી કરનાર શખ્સ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા બસ પોર્ટ પાસે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની છેડતી મામલે બબાલ ઉભી થઈ હતી. શાકભાજીના વેપારીએ પતિ અને સાસુ સાથે આવેલી મહિલાની છેડતી કરતાં મામલો બિચકયો હતો વિફરેલા લોકોએ શાકભાજીની લારી રસ્તા ઉપર ઊંધી વાળી આક્રોશ ઠાલવ્યો હતો. છેડતીની ઘટનાની જાણ થતા બાદ હિન્દુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના પગલે ટાઉન પોલીસ પણ દોડી આવી હતી. લોકોનો આક્રોશ જોઈને શાકભાજીનો વેપારી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મામલો વધુ બીચકે નહીં તે માટે ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.


http://dlvr.it/T7dLJB

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n