Skip to main content

કાર્યવાહી શરૂ:અમરેલીમાં નાગનાથ કોમ્પ્લેક્ષ સીલ

રાજકોટ ગેમ ઝોનમા અગ્નીકાંડથી અનેક લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે રાજય સરકાર દ્વારા કલેકટરોને જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કરાયો હોય જેને પગલે આજે અમરેલીમા ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ સહિત ટીમ દ્વારા સંયુકત રીતે ચેકીંગ હાથ ધરાયુ હતુ અને એક કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરવામા આવ્યું હતુ. જયારે ધારીમા તંત્ર દ્વારા ત્રણ રીસોર્ટને સીલ કરી દેવાયા હતા. ધારીમા પ્રાંત અધિકારી એચ.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અક્ષય વ્યાસ, રેવન્યુ તલાટી, પુરવઠા સ્ટાફ, સર્કલ ઓફિસર સહિત ટીમ દ્વારા ધારી આસપાસ રીસોર્ટમા ચેકીંગ હાથ ધરાયુ હતુ. અહી લીયોનીયા, ગીર રીટ્રીટ, ધ લેકવ્યું નામના રીસોર્ટમા ફાયર એનઓસી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સનુ લાયસન્સ ન હોય ત્રણેય રીસોર્ટને સીલ મારી દેવાયા હતા. આ ઉપરાંત લાયન ડેન, ઉતમ ફાર્મ, અર્જુન રીસોર્ટ સહિતના રીસોર્ટમા મોડી રાત સુધી ચેકીંગની કામગીરી ચાલુ રાખવામા આવી હતી. રાજુલામાં ઠેર-ઠેર NOC વગર બિલ્ડીંગો ધમધમે છે રાજુલામાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલી ખાનગી બેંકો તથા 10 જેટલી હોટલો ખુલી છે. પરંતુ આ તમામ પાસે ફાયર એનઓસી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. છતાં પણ તંત્ર આ અંગે મૌન ધારણ કરી લીધું છે. અહીં કોઈ જ પ્રકારની લોકોની સેફટી નથી. અહીં દિવસમાં અનેક લોકો આવતા હોય છે. અહીં ફાયર એનઓસી છે કે નહી તે પણ તપાસ કરવામા આવતુ નથી. ફાયર ઓફિસરે કહ્યું, એનઓસી ન હોય તે તમામ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરાશે ફાયર ઓફિસર એચ.સી.ગઢવીએ જણાવ્યુ હતુ કે આજે એક કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયુ છે. આગામી દિવસોમા એનઓસી ન હોય તે તમામ બિલ્ડીંગ સીલ કરાશે. આ ઉપરાંત સરકારી કચેરીમા પણ ફાયર સેફટીની સુવિધા ન હોય ત્યાં ગ્રાંટ કે જે તે પ્રક્રિયા કરી સુવિધા ઉભી કરાશે. ધારીમાં લીયોનીયા, ગીર રીટ્રીટ અને ધ લેકવ્યું રીસોર્ટ સીલ કરાયા ફાયર વિભાગ, મામલતદાર, પોલીસની સંયુકત ટીમ દ્વારા ચેકીંગ અમરેલી|અમરેલીમા આજે કમિટી મેમ્બર ફાયર વિભાગના ઓફિસર એચ.સી.ગઢવી, મામલતદાર, નાયબ એન્જીનીયર પીજીવીસીએલ, જુનિયર ટાઉન પ્લાનર સહિત ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ. શહેરની મધ્યમા આવેલ કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરી દેવાયુ હતુ. ફાયર વિભાગ દ્વારા અગાઉ તારીખ 23/2/23ના રોજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા નોટીસ પાઠવવામા આવી હતી. પરંતુ આજદિન સુધી નોટીસની અવગણના કરાઇ હતી. આ કોમ્પલેક્ષમા ખાનગી બેંક, ટયુશન કલાસીસ, ગુજરાત રાજય બિજ નિગમ કચેરી કાર્યરત હોય આખુ બિલ્ડીંગ સીલ કરી દેવાયુ હતુ. જો કે અહીના વેપારીઓમા એવો પણ કચવાટ જોવા મળ્યો હતો કે નગરપાલિકા બિલ્ડીંગને પણ ફાયર એનઓસી મુદે અગાઉ નોટીસ પાઠવાઇ હોય તેને પણ સીલ કરી દેવામા આવે. શહેરમા હજુ પણ અનેક બિલ્ડીંગો ફાયર એનઓસી વિના ધમધમતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.


http://dlvr.it/T7X0qJ

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp