Skip to main content

માંકડી ડેમમાંથી રાયગઢના યુવાનની લાશ મળી:બાઈક લઈને બે દિવસ પહેલાં યુવાન ઘરેથી નીકળી ગયો હતો, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાઇ છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામનો યુવાન બે દિવસ પહેલાં ગુમ થયો હતો. જેની લાશ આજે માંકડી ડેમમાંથી મળી આવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના રાયગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય આશિષકુમાર બિસનભાઈ ઓડ જે બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે પરત આવ્યો ન હતો. જેને લઈને તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ પત્તો ના લાગતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન રવિવારે બપોરના સમયે પોલીસને જાણ થઇ હતી કે માંકડી ડેમમાં મૃતદેહ તરતો જોવા મળે છે અને ડેમ નજીક એક બાઈક પણ છે. જેને લઈને ગાંભોઈ પોલીસે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી નાવડીની મદદથી તરતો મૃતદેહ બહાર કાઢીને ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે ઘરે નહિ આવતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. આજે ગુમ યુવકની લાશ માંકડી ડેમમાંથી મળી છે તો ડેમ નજીકથી બાઈક પણ મળી છે. જેને લઈને પીએમ ની કાર્યવાહી માટેની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/T7QgDH

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n