Skip to main content

વડોદરા સમાચાર:વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો, શ્રમયોગીઓને છાશનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લામાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું કે, મનરેગાના શ્રમયોગીઓને રાહત આપવા માટે હવે સવારે 6 વાગ્યાથી બપોરના 11 વાગ્યા અને સાંજના 4થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું
જિલ્લામાં હાલમાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો ચાલી રહ્યા છે અને તેમાં 1995 શ્રમયોગીઓ જોડાયા છે. આકરા ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને કામના સ્થળે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કામનો સમય વહેલો કરવામાં આવતા શ્રમયોગીઓને ખાસ રાહત થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની મનરેગા હેઠળ રોજગારીની તારીજ જોઇએ તો અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1,24,347 પરિવારોના 2,35,204 સભ્યોની નોંધણી થઇ છે. તેમાંથી 3,438 પરિવારના 4,571 વ્યક્તિએ કામની માંગણી કરી છે. હાલમાં 1995 વ્યક્તિ કામમાં જોડાયા છે. ઘનશ્યામ મહારાજ દ્વિદશાવદી 20મો પાટોત્સવ નિમિત્તે ભવ્ય હરીયાગ યોજાયો
​​​​​​​વડોદરા કારેલીબાગ ઘનશ્યામ મહારાજના 20માં પાટોત્સવ નિમિત્તે આજે ચોથા દિવસે સમગ્ર દિવ્ય મહોત્સવના પ્રેરક પ.પૂ.સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી, કુંડળધામ એ શિક્ષાપત્રી ભાષ્યની કથાના ચોથા દિવસે સવારની કથામાં પૂજ્ય સ્વામીએ હજારો હરિભક્તોને દંડવત ,પ્રદક્ષિણા અને મંત્ર જાપનો મહિમા સમજાવ્યો હતો. પ્રદક્ષિણા અને દંડવતથી કેવું ફળ પ્રાપ્ત થાય છે ? જીવનમાં તેનું કેવું મહત્વ છે ? તે વિશે જુદા જુદા ગ્રંથોના સંદર્ભથી વિસ્તૃત છણાવટ કરી હતી. હજારો હરિભક્તો ગુરુજીના દિવ્ય વક્તવ્યથી ભાવવિભોર બની ગયા હતા. હરિભક્તો શ્રદ્ધાસાગરમાં ડૂબી ગયા ​​​​​​​
મંદિરના પ્રાંગણમાં હરિયાગ મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો યજમાન પરિવારે લાભ લીધો હતો. પૂજ્ય ગુરુજીએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની હરિભક્તોને સમજ આપી હતી. આપણી વૈદિક સંસ્કૃતિની જાળવણી માટે હરિભક્તોને અનુરોધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના વિવિધ સંદર્ભો ટાંકી પૂજ્ય ગુરુજીએ પુનર્જન્મ વિશે સત્ય ઘટના સંભળાવી હતી, જેને પગલે હરિભક્તો શ્રદ્ધાસાગરમાં ડૂબી ગયા હતા. અન્ય વિવિધ સંતોએ પણ પોતાના વાણીરૂપી અમૃતનો લાભ આપી હરિભક્તોને લાભાવલી કર્યા હતા. ભવ્ય અન્નકૂટનું આયોજન થશે
​​​​​​​આવતીકાલે તારીખ 25 મે, 2024ના રોજ લાડીલા ઘનશ્યામ મહારાજનો દિવ્ય પાટોત્સવ નિમિત્તે ભવ્ય દૂધ, દહીં મધ, કેસર, સાકાર પંચામૃત અને વિવિધ રસોથી વ્હાલા ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભવ્ય અન્નકૂટ ઘનશ્યામ મહારાજ ને ધરાવવામાં આવશે, જેમાં અનેકવિધ આઈટમોથી ભવ્ય અન્નકૂટનું આયોજન થશે. મુસાફરોએ નોંધ લેવી
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન પર વિરાર-વૈતરણા સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 90 પર PSC સ્લેબ સાથે સ્ટીલ ગર્ડરને બદલવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 24/25મી મે, 2024ના રોજ 22.50 કલાકથી મધ્યરાત્રિ 04.50 સુધી રહેશે. આ બ્લોકને કારણે, ટ્રેન નંબર 12928 એકતા નગર - દાદર એક્સપ્રેસ એકતા નગરથી બે કલાકમાં રીશેડ્યુલ કરવામાં આવશે. આ ટ્રેન આજે તેના નિર્ધારિત સમયને બદલે 23.25 કલાકે (બે કલાક મોડી) દોડશે.


http://dlvr.it/T7Lv4m

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...