Skip to main content

ટીમની તપાસમાં આવી અનેક ચોંકાવનારી હકીકતો:રાજકોટના એકપણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારની સૂચનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના પગલે અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના 22 જેટલા અધિકારીઓની ટીમ રચી 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાલભવન અને ફનવર્લ્ડને બાદ કરતા 11 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની તથા અન્ય પણ ઘણી બધી ત્રુટીઓ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જે અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારે ફન બ્લાસ્ટ, ઇન્ફિનિટી સ્પોર્ટસ, નોક આઉટ, વેસ્ટર્ન ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ગેમ ઝોન, રિલાયન્સ મોલ ગેમ ઝોન, ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, વૂફી ગેમ ઝોન, એવીઆઇ ગેમ ઝોન, વાઉ ગેમ ઝોન, ફન વર્લ્ડ, બાલભવન અને જીએસઆરટીસી પોર્ટ ખાતે શિફ્ટેડ ટુ બોમ્બે સુપર મોલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં તપાસ અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને આપી દેવાયો છે. જ્યારે લાઇસન્સ અંગેની તપાસ પોલીસતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે.


http://dlvr.it/T7TQ6w

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...