Skip to main content

ટીમની તપાસમાં આવી અનેક ચોંકાવનારી હકીકતો:રાજકોટના એકપણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારની સૂચનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના પગલે અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના 22 જેટલા અધિકારીઓની ટીમ રચી 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાલભવન અને ફનવર્લ્ડને બાદ કરતા 11 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની તથા અન્ય પણ ઘણી બધી ત્રુટીઓ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જે અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારે ફન બ્લાસ્ટ, ઇન્ફિનિટી સ્પોર્ટસ, નોક આઉટ, વેસ્ટર્ન ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ગેમ ઝોન, રિલાયન્સ મોલ ગેમ ઝોન, ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, વૂફી ગેમ ઝોન, એવીઆઇ ગેમ ઝોન, વાઉ ગેમ ઝોન, ફન વર્લ્ડ, બાલભવન અને જીએસઆરટીસી પોર્ટ ખાતે શિફ્ટેડ ટુ બોમ્બે સુપર મોલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં તપાસ અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને આપી દેવાયો છે. જ્યારે લાઇસન્સ અંગેની તપાસ પોલીસતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે.


http://dlvr.it/T7TQ6w

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n