Skip to main content

8 દિવસથી ડબ્બા ટ્રેડિંગ બંધ:ચૂંટણીના પરિણામો પછી શરૂ થશે

ડબ્બા ટ્રેડિંગ શેર બજારનું એક પ્રકારનું પ્રોક્સી ટ્રેડિંગ છે. આ ગેરકાયદે અને બનાવટી સ્ટોક ટ્રેડિંગ છે જે સ્ટોક એક્સચેન્જોની બહારથી સંચાલિત થાય છે. ડબ્બા ટ્રેડિંગમાં પણ શેર બજારની જેમ જ એ વાત પર દાવ લગાવીને પૈસા કમાવવામાં આવે છે કે બજાર આગળ કઇ દિશામાં જઇ શકે છે. લોકસભાની ચૂંટણી યોજાતા કેન્દ્ર સરકારમાં હવે બીજેપી કે ઇન્ડિ એલાઇન્સ માંથી કઈ સરકાર આવે છે તેના ઉપર શેર બજાર નો આંક ઉપર જશે કે નીચે તેનો આધાર છે. શેર માર્કેટના કાયદેસર વ્યવસાયની સમાંતર ચાલતા ડબ્બા ટ્રેડિંગમાં આ જ કારણસર આઠ દિવસથી વેપાર બંધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ 4 જૂનના મતગણતરી બાદ જે સરકાર સત્તા પર આવશે તે પરથી તેલ અને તેલની ધાર જોઈને આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ 10 જૂને ડબ્બો ચાલુ થાય તેવી શક્યતા બતાવે છે. ત્યારે આ ગેરકાયદેસર વેપાર કરતા ટ્રેડર્સ કેન્દ્ર સરકારની નીતિ અને રીતિ આધારિત સોદાઓ કરતા થશે તેને 15 થી 20 દિવસ લાગી જશે તેવું સૂત્રો કહે છે. કોઇ ટેક્સ ભરવાનો ન હોવાથી સરકારને કરોડોનો ચૂનો
જો શેર બજારના કાયદેસરના કારોબારને જોઇએ તો જ્યારે કોઇ રોકાણકારને શેર કે કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવાનું હોય છે તો તે કોઇ બ્રોકર સાથે વાત કરે છે. બ્રોકર તેના માટે સારી ડીલ શોધી કાઢે છે. શેર માર્કેટમાં બિઝનેસ કરવા માટે કસ્ટમર કે બ્રોકરની પાસે વેલિડ ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જોઇએ. આ જ પ્રકારની ડીલ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT કે કોમોડિટી ટ્રાન્ઝેક્શન એટલે કે CTT ચૂકવવાનો હોય છે. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં આવું કંઇ નથી હોતું. તેમાં વાસ્તવિક એક્સચેન્જો પર શેરોની કોઇ ખરીદી તો હોતી જ નથી એટલે ન તો કોઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવાનો હોય છે અને ન તો કોઇપણ જાતનો ટેક્સ. સરવાળે સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવે છે.


http://dlvr.it/T7PL7d

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n