Skip to main content

સનસ્ટ્રોકનો ભોગ:નગરમાં ભીષણ ગરમીમાં 35 લોકો સનસ્ટ્રોકનો ભોગ બન્યાં

છેલ્લા 14 દિવસથી ગાંધીનગરમાં સવારે 8થી 12 કલાક સુધી 8 અને સાંજે 4થી 8 કલાક સુધી 12 કેસ લૂ લાગવાના નોંધાયા છે. જ્યારે તેની સામે બપોરે 12થી 4માં 6 અને રાત્રે 8થી 12માં 6 કેસ ઇમરજન્સી સેવા 108માં નોંધાયા છે. આથી છેલ્લા 14 દિવસમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાતા ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહી હતી. ચાલુ વર્ષે ઉનાળાની સીઝનમાં ગરમીના પ્રકોપની અસર ચાલુ મે માસમાં જોવા મળી રહ્યો છે. તેમાં ગત તારીખ 11મી, મેથી નગરનું મહત્તમ તાપમાન 41 ડીગ્રીથી વધારે રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડીગ્રીથી વધારે ઉંચું રહેતા લૂ લાગવાના કેસમાં ઉછાળો આવ્યો છે. તેમાં ઇમરજન્સી સેવા 108ના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 11મી, મે-2024થી તારીખ 24મી, મે-2024 સુધીમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાયા છે. તેમાં ઉલટીના એક, હાઇ ફિવરના 31, ચક્કર આવવાના 2, અન્યના એક સહિત કુલ-35 કેસ થાય છે. તેમાંય સવારે 8થી 12 કલાકના અને સાંજે 4થી 8ના સમયગાળામાં કેસ વધારે નોંધાયા છે. જેમાં સવારે 8થી 12માં હાઇ ફિવરના 8 કેસની સામે સાંજે 4થી 8 સમયગાળામાં હાઇફિવરના 10 કેસ, ચક્કરના એક અને અન્ય બિમારીના એક સાથે કુલ-12 કેસ નોંધાયા છે. આથી સવારે અને સાંજના સમયે લૂનો ભોગ લોકો વધારે બની રહ્યા હોય તેમ ઇમજન્સી સેવા 108માં નોંધાયેલા કેસ ઉપરથી લાગી રહ્યું છે. જ્યારે તેની સામે ભલે સતત 14 દિવસ સુધી રાત્રીનું લઘુત્તમ તાપમાન 29 ડીગ્રીથી વધારે રહ્યું હતું. તેમ છતાં રાત્રે 8થી 12 કલાકમાં હાઇફિવરના 5 કેસ અને વોમીટીંગ તેમજ દુખાવો સહિતના એક સાથે કુલ-6 કેસ નોંધાયા છે. જ્યારે બપોરે નગરવાસીઓ કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટા‌ળ્યું હોવાથી કેસમાં ઘટાડો નોંધાયો છે. આથી બપોરે 12થી 4 કલાક દરમિયાન હાઇ ફિવરના 5 કેસ અને ચક્કર આવવાના 1 સહિત કુલ-6 કેસ નોંધાયા હતા. જ્યારે સામાન્ય સમયમાં કેસમાં કોઇ જ વધારો જોવા મ‌ળતો નથી તેમ ઇમરજન્સી સેવા 108માં નોંધાયેલા કેસ પરથી લાગી રહ્યું છે.


http://dlvr.it/T7RGhT

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...