Skip to main content

ભક્તોનો ધસારો:બદ્રી-કેદારનાથમાં 13 દિવસમાં રાજ્યના દોઢ લાખ લોકો પહોંચ્યા, 70% રજિસ્ટ્રેશન વગર જ જાય છે

10મેના રોજ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધારે આ વર્ષે ભક્તો દર્શન કરવા પહોંચ્યાં હતા. બદ્રિશપંડા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સુધારકર બાબુલકરના જણાવ્યા અનુસાર દર વર્ષે બદ્રીનાથમાં સૌથી વધારે ભક્તો આવે છે, ત્યારે આ વર્ષે બદ્રીનાથની જગ્યાએ કેદારનાથમાં ભક્તોનો ધસારો જેવા મળી રહ્યો છે. કેદારનાથમાં માત્ર 13 દિવસમાં 2.86 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. ગત વર્ષે 6 મહિનામાં 8 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો, ત્યારે બદ્રીનાથમાં ગત વર્ષે 10 લાખ લોકોએ દર્શન કર્યાં હતાં, જે 13 દિવસમાં 1 લાખ ઉપર આંકડો પહોંચી ગયો છે. હાલની સ્થિતિમાં સર્જાયેલી અવ્યવસ્થા પાછળનું એક કારણ છે કે 70% લોકો રજિસ્ટ્રેશન વગર આવી રહ્યા છે. કેટલા લોકો ફેક એજન્ટનો ભોગ બનતા હોવાથી હેરાન થઈ રહ્યાં છે. દર્શન માટે આવતાં ભક્તોનો આંકડો દિવસે અને દિવસે વધી રહ્યો છે. આ સાથે મોબાઈલથી ફોટોગ્રાફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બદ્રીનાથ મંદિર પરિસરમાં રીલ બનાવતા 15 લોકોને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં યાત્રા પર આવેલા 42 લોકોના મોત થયાં છે. યાત્રા 6 મહિના ચાલવાની છે, લોકો શાંતિથી આવો: બદ્રિશપંડા પંચાયત સમિતિ
બદ્રિશપંડા પંચાયત સમિતિએ દર્શન માટે આવતા ભક્તોને અપીલ કરતા કહ્યુ કે ચારધામ યાત્રા હજુ 6 મહિના ચાલવાની છે, જેથી લોકોએ અત્યારે ઉતાવણ કરનાવની જરૂર નથી તેઓ શાંતિથી પછી પણ આવી શકે છે. જૂન અને જુલાઈમાં વરસાદ આવશે, પરંતુ બાકીના 4 મહિના મંદિર ખુલ્લું રહેશે. અને દર્શન પણ સારી રીતે કરી શકાશે. હાલ બદ્રીનાથ અને કેદારનાથમાં હોટલ તથા ધર્મશાળાના ભાડા પણ વધારે છે. બદ્રીનાથ મંદિર સેન્ટર હિમાલયના સૌથી નજીક આવેલું છે, વધુ પડતા ધસારાને કરાણે આપત્તિ આવી શકે છે. સાથે તેમને વધુમાં કહ્યું હતું કે બનાવટી એજન્ટોથી બચવું જોઈએ અને ચારધામ યાત્રા બોર્ડથી રજિસ્ટ્રેશન કરાવો, હાલ દર્શન કરવા માટે આવતા ભક્તોને 5 કિલોમીટર લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. કેદારનાથમાં દર્શન માટે 6 કલાક લાંબી લાઈન બાદ માત્ર બે મિનિટ માટે દર્શનનો લાભ મળે છે
ગોતાના ધર્મેશ ગોસ્વામી પોતાના પરિવારના 20 લોકો સાથે કેદારનાથ દર્શન કરવા પહોંચ્યા છે. માત્ર કેદારનાથમાં 6 કલાકથી વધારે લાઈનમાં દર્શન કરવા માટે ઊભું રહેવું પડ્યું અને દર્શન માત્ર 2 મિનિટ માટે થાય છે. આ સાથે મંદિરની બહાર 5 કિલોમીટર લાંબી લાઈન પણ લાગે છે. કેદારનાથમાં 13 દિવસમાં 2.86 લાખ ભક્તે દર્શન કર્યાં ગત વર્ષે બદ્રીમાં 6 મહિનામાં 10 લાખ લોકોએ દર્શન કર્યાં


http://dlvr.it/T7JwjZ

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...