Skip to main content

સગીર અપહરણ કેસમાં નવો વળાંક:બાળકનું ઘર પાસેથી નહીં પણ થોડે દૂરથી અપહરણ થયું

નવસારીના રેલવે સ્ટેશન નજીક રહેતા બાળકનું બે રીક્ષાચાલકોએ અપહરણ કર્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં બાળકને ગેરસમજ થતા તેનુ અપહરણ તેમના ઘર પાસેથી થયું હોવાનું જણાવ્યું પણ બાળક નજીકમાં આવેલી દુકાનમાં આઇસક્રીમ ખાવા જતા ત્યાં ઘટના નોંધાઇ હોવાની માહિતી મળી છે. નવસારી રેલવે સ્ટેશનના નજીક રહેતા મૂળ યુપીના પરિવારનો બાળક 21મી માર્ચના રોજ તેના ઘર પાસે ઉભેલો હતો ત્યારે રીક્ષાચાલકે તેને ખેંચીને રીક્ષામાં બેસાડી અપહરણ કર્યાની તેના પિતાને જણાવ્યું હતું. જે અંગે ટાઉન પોલીસ હરકતમાં આવતા આજુબાજુના સીસીટીવી ફૂટેજો તપાસ કરી હતી. બીજા દિવસે બાળકે જણાવ્યું કે તેનું અપહરણ તેમના ઘરેથી નહીં પરંતુ તેમના ઘરની આગળ આવેલી એક આઇસક્રીમની દુકાન પાસે આઇસક્રીમ ખાઇ પરત આવતો હતો ત્યારે મારી સાથે આવી ઘટના બની હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/T4WnPt

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n