Skip to main content

તંત્ર નિદ્રાંધિન:મોટી ચોવીસી વિસ્તારમાં ક્ષારયુક્ત પાણીથી ચામડીના રોગ થવાની શક્યતા

નવસારીના મોટી ચોવીસીમાં આવેલા મોતીનગર વિસ્તારમાં પાણી તો આવે છે પરંતુ પીવાના ઉપયોગમાં લઇ શકાતું નથી, કારણ કે પાણી ક્ષારયુકત અને ઘણીવાર ડહોળુ આવે છે. મોટી ચોવીસીમાં આવેલા મોતીનગર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાલિકાનું પાણી ક્ષારવાળુ આવે છે. આ બાબત અંગે ઘણીવાર રજૂઆત અને ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ પણ જરૂરી પગલાઓ પાણી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યા નથી. મોતીનગર વિસ્તારના સ્થાનિકો મહિનાઓથી આવતા ક્ષારયુક્ત પાણીના કારણે ત્રાસી ગયા છે. સ્થાનિકો મુજબ તેમણે કરેલ ફરિયાદની નોંધ લેવામાં આવી નથી. ક્ષારવાળુ પાણી એટલે કે આલ્કલાઇન પાણીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચામડીના અનેક રોગ થઈ શકે છે. પાણીનો ટેકસ યોગ્ય આવે છે, પણ પાણી નહીં એવું સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકો ફિલ્ટરવાળુ પાણી ખરીદવા મજબૂર બન્યા પાણી બરાબર આવે છે, પરંતુ તેનો ઉપયોગ પીવા માટે કરી શકાય તેવું આવતું નથી. પાણી ક્ષારવાળુ હોય છે. જ્યારે મોટાભાગના લોકો ફિલ્ટરવાળુ પાણી ખરીદીને વાપરે છે, પરંતુ અમારા વિસ્તારમાં એવા પણ ઘણા લોકો છે જે મજબૂરીમાં આજ પાણી પીવે છે જેના કારણે તેમને અનેક મુશ્કેલી પડે છે. આ બાબતે નોંધ લેવાવી જરૂરી બની છે.> યાસ્મીન શેખ, સ્થાનિક


http://dlvr.it/T4WnXl

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...