Skip to main content

મતદાન જાગૃતિ કાર્યક્રમ:લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 આગામી તા. 7મી મે ના રોજ યોજનાર છે ત્યારે 26- વલસાડ બેટક ઉપર મતદારો વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા વિધાનસભા બેઠક વિસ્તારો પ્રમાણે રોજે રોજ મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજે શુક્રવારે વલસાડના બીઆરસી ભવન ખાતે વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના દરેક તાલુકાના 15-15 સિનિયર સિટિઝનોને આમંત્રિત કરી સ્વીપ નોડલ અધિકારી-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવો સંદેશ દરેક વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચે તે માટે મતદાર જાગૃત્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેનાર નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લાના 4,500 નિવૃત્ત કર્મચારીઓ સુધી મતદાનના મહત્વ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવશે.


http://dlvr.it/T4pJyp

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n