Skip to main content

પરિશ્રમનું પરિણામ:પહેરેલાં કપડે આવ્યા અને આજે ચોથી પેઢી સુરતમાં રહી સુરતી બની

સુરતની ધરા ઉપર હાથમાં ફક્ત દોરી અને લોટો લઈને આવ્યા બાદ ઓળખ ઉભી કરનાર પરપ્રાંતિયોની ચોથી પેઢી આજે સુરતમાં રહીને સુરતી બની ગઈ છે. ઉત્તર ભારતથી માંડીને કેરળ અને જમ્મુ સુધીના દરેક રાજ્યના લોકો અહીં વસીને સુરતી બની ગયા છે. સુરત પાસે આ બધાથી વધીને છે એ પ્રેમ છે. સખત મહેનત કરનાર થોડાક વડીલો આજે પોતાના આરંભના દિવસો દિવ્ય ભાસ્કર સાથે શેર કરે છે. સુરત આવીને ગાર્ડ બન્યા, આજે લેબર કોન્ટ્રાક્ટર : રાજેન્દ્ર તિવારી
​​​​​​​બિહારથી આવી સુરતમાં ડાઈંગ મીલમાં રોજના 10 રૂપિયાની સિક્યોરિટીની નોકરી મળી હતી. આરંભના દિવસો વિષે રાજેન્દ્ર તિવારી કહે છે, મીઠી ખાડીમાં દરગાહ પાસે એક નાનકડી ખોલીમાં રહેવાનું અને દિવસે ગાર્ડની નોકરી કરી હતી. કપડાં પૂરતા નહીં અનેક વખત તો રાત્રે હાફ પેન્ટ પહેરીને દિવસે પહેરેલા કપડાં ધોઈને બીજા દિવસે પાછા પહેરવાના દિવસો પણ જોય છે. આજે સુરતે અમને જે જોઈતું હતું એ બધું જ આપ્યું છે. સૌથી મોટો પ્રેમ અને આદર આપ્યો છે. જે કદી ભૂલી શકાય નહીં. તિવારી આજે પોતે લેબર કોન્ટ્રાક્ટર છે ઉપરાંત શાળા સંચાલક અને જમીન દલાલીનું પણ કામ કરી રહ્યા છે. પાઉં અને કેરીની લારી ચલાવી, ઝૂંપડીમાં રહ્યા : સુભાષ મૌર્યા
પિતાજી સુરત આવ્યા બાદ ગામડે ગામડે ફરવાનું થયું. ખેતરમાં જ ઝૂપડું બાંધીને રહેવાનું અને શહેરમાં કાચુ મકાન બનાવીને રહેતા હતા. પોતાની બાળ અવસ્થાના દિવસો યાદ કરતા એડવોકેટ સુભાષ મૌર્યા કહે છે, મોટા ભાઈને ત્રણસોની નોકરી મળી અને પોતે પાંઉ લાવીને વેચ્યા, ઘાસની ગાંઠડીઓ સાઇકલ પર વેચવા નીકળતો અને પિતાજીની સાથે કેરીની લારી પણ ચલાવી હતી. આજે સુભાષ મૌર્યા સવારે ખેતી અને બપોરે વકીલાત કરે છે. જ્યારે એમના ભાઈ હોમિયોપેથી ડોક્ટર બન્યા છે. મૌર્યા બંધુ કહે છે, સુરતમાં આવ્યા ત્યારે પિતાજી પાસે કંઈ હતું નહીં. આજે પરિવાર સુરતમાં વટવૃક્ષ બન્યો છે. સુરત આવતા પહેલાં 71ના યુદ્ધમાં પાંચ ગોળી ખાધી : ભગવતી પ્રસાદ
​​​​​​​ભારત-પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધમાં પાંચ ગોળીથી ઘાયલ થયા અને બે વર્ષની સારવાર કરાવી સુરત આવ્યા ત્યારે હજીરામાં રહેવાનું થયું હતું. છ દાયકાથી સુરતમાં વસેલા માજી સૈનિક દુબેજી ભૂતકાળ વાગોળતા કહે છે, મજૂરીથી શરૂઆત કરી ટ્રક ડ્રાઈવર બન્યો અને મહેનતથી ટ્રક ખરીદી. એ સમયે ઉધનામાં ઓછી વસ્તી હોવાથી મઢી આવ્યા બાદ બારડોલી ગયા. આજે સુરતના પ્રતાપે સુખ અને ચૈન બંને છે. વતન ભૂલી ગયા છે એવું નથી પરંતુ હવે સુરત જ વતન બની ગયું છે. હજીરામાં ચોમાસામાં કોથળી ઓઢીને રાતે બેસી રહેવું પડતું અને ઢાબામાં ચાહ પી દિવસે મહેનતના કપરા દિવસો પસાર કર્યા છે. રાત્રે મિત્રના રૂમના ઓટલા ઉપર સૂતા ને મજૂરી કરી : જનાર્દન પાંડે
ખાલી હાથે સુરત આવ્યો અને દિવસે છૂટક મજૂરી અને રાત્રે મિત્રના એક રૂમના ઓટલા ઉપર સુતો હતો. સવારે અડધી ડોલ પાણીમાં ન્હાવાના દિવસો વિતાવ્યા છે. પાંચ દાયકા પૂર્વે સુરત આવેલા જનાર્દન પાંડે કહે છે સવારે ઉઠીને ચાદર અને ઓશિકુ રૂમમાં મુકી ફરી નોકરી શોધવી પડતી. દિલ્હી અને મુંબઈ રહ્યા પરંતુ ત્યાં વારંવાર મીલની હડતાળ ચાલતી હતી. સુરતમાં સંઘર્ષ બાદ મીલ સુપરવાઈઝરની નોકરી મળી અને ત્યાંજ વાઈસ પ્રેસિડન્ટ બન્યો. સુરતે અમને ઘણું આપ્યું છે એમ જણાવતા પાંડે કહે છે, અમે સુરતના આભારી છીએ, આજે અમે પરપ્રાંતના છીએ એ ભૂલી ગયા છે અને અમે પણ સુરતી બની ગયા છે.


http://dlvr.it/T4jhvZ

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...