Skip to main content

પરિશ્રમનું પરિણામ:પહેરેલાં કપડે આવ્યા અને આજે ચોથી પેઢી સુરતમાં રહી સુરતી બની

સુરતની ધરા ઉપર હાથમાં ફક્ત દોરી અને લોટો લઈને આવ્યા બાદ ઓળખ ઉભી કરનાર પરપ્રાંતિયોની ચોથી પેઢી આજે સુરતમાં રહીને સુરતી બની ગઈ છે. ઉત્તર ભારતથી માંડીને કેરળ અને જમ્મુ સુધીના દરેક રાજ્યના લોકો અહીં વસીને સુરતી બની ગયા છે. સુરત પાસે આ બધાથી વધીને છે એ પ્રેમ છે. સખત મહેનત કરનાર થોડાક વડીલો આજે પોતાના આરંભના દિવસો દિવ્ય ભાસ્કર સાથે શેર કરે છે. સુરત આવીને ગાર્ડ બન્યા, આજે લેબર કોન્ટ્રાક્ટર : રાજેન્દ્ર તિવારી
​​​​​​​બિહારથી આવી સુરતમાં ડાઈંગ મીલમાં રોજના 10 રૂપિયાની સિક્યોરિટીની નોકરી મળી હતી. આરંભના દિવસો વિષે રાજેન્દ્ર તિવારી કહે છે, મીઠી ખાડીમાં દરગાહ પાસે એક નાનકડી ખોલીમાં રહેવાનું અને દિવસે ગાર્ડની નોકરી કરી હતી. કપડાં પૂરતા નહીં અનેક વખત તો રાત્રે હાફ પેન્ટ પહેરીને દિવસે પહેરેલા કપડાં ધોઈને બીજા દિવસે પાછા પહેરવાના દિવસો પણ જોય છે. આજે સુરતે અમને જે જોઈતું હતું એ બધું જ આપ્યું છે. સૌથી મોટો પ્રેમ અને આદર આપ્યો છે. જે કદી ભૂલી શકાય નહીં. તિવારી આજે પોતે લેબર કોન્ટ્રાક્ટર છે ઉપરાંત શાળા સંચાલક અને જમીન દલાલીનું પણ કામ કરી રહ્યા છે. પાઉં અને કેરીની લારી ચલાવી, ઝૂંપડીમાં રહ્યા : સુભાષ મૌર્યા
પિતાજી સુરત આવ્યા બાદ ગામડે ગામડે ફરવાનું થયું. ખેતરમાં જ ઝૂપડું બાંધીને રહેવાનું અને શહેરમાં કાચુ મકાન બનાવીને રહેતા હતા. પોતાની બાળ અવસ્થાના દિવસો યાદ કરતા એડવોકેટ સુભાષ મૌર્યા કહે છે, મોટા ભાઈને ત્રણસોની નોકરી મળી અને પોતે પાંઉ લાવીને વેચ્યા, ઘાસની ગાંઠડીઓ સાઇકલ પર વેચવા નીકળતો અને પિતાજીની સાથે કેરીની લારી પણ ચલાવી હતી. આજે સુભાષ મૌર્યા સવારે ખેતી અને બપોરે વકીલાત કરે છે. જ્યારે એમના ભાઈ હોમિયોપેથી ડોક્ટર બન્યા છે. મૌર્યા બંધુ કહે છે, સુરતમાં આવ્યા ત્યારે પિતાજી પાસે કંઈ હતું નહીં. આજે પરિવાર સુરતમાં વટવૃક્ષ બન્યો છે. સુરત આવતા પહેલાં 71ના યુદ્ધમાં પાંચ ગોળી ખાધી : ભગવતી પ્રસાદ
​​​​​​​ભારત-પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધમાં પાંચ ગોળીથી ઘાયલ થયા અને બે વર્ષની સારવાર કરાવી સુરત આવ્યા ત્યારે હજીરામાં રહેવાનું થયું હતું. છ દાયકાથી સુરતમાં વસેલા માજી સૈનિક દુબેજી ભૂતકાળ વાગોળતા કહે છે, મજૂરીથી શરૂઆત કરી ટ્રક ડ્રાઈવર બન્યો અને મહેનતથી ટ્રક ખરીદી. એ સમયે ઉધનામાં ઓછી વસ્તી હોવાથી મઢી આવ્યા બાદ બારડોલી ગયા. આજે સુરતના પ્રતાપે સુખ અને ચૈન બંને છે. વતન ભૂલી ગયા છે એવું નથી પરંતુ હવે સુરત જ વતન બની ગયું છે. હજીરામાં ચોમાસામાં કોથળી ઓઢીને રાતે બેસી રહેવું પડતું અને ઢાબામાં ચાહ પી દિવસે મહેનતના કપરા દિવસો પસાર કર્યા છે. રાત્રે મિત્રના રૂમના ઓટલા ઉપર સૂતા ને મજૂરી કરી : જનાર્દન પાંડે
ખાલી હાથે સુરત આવ્યો અને દિવસે છૂટક મજૂરી અને રાત્રે મિત્રના એક રૂમના ઓટલા ઉપર સુતો હતો. સવારે અડધી ડોલ પાણીમાં ન્હાવાના દિવસો વિતાવ્યા છે. પાંચ દાયકા પૂર્વે સુરત આવેલા જનાર્દન પાંડે કહે છે સવારે ઉઠીને ચાદર અને ઓશિકુ રૂમમાં મુકી ફરી નોકરી શોધવી પડતી. દિલ્હી અને મુંબઈ રહ્યા પરંતુ ત્યાં વારંવાર મીલની હડતાળ ચાલતી હતી. સુરતમાં સંઘર્ષ બાદ મીલ સુપરવાઈઝરની નોકરી મળી અને ત્યાંજ વાઈસ પ્રેસિડન્ટ બન્યો. સુરતે અમને ઘણું આપ્યું છે એમ જણાવતા પાંડે કહે છે, અમે સુરતના આભારી છીએ, આજે અમે પરપ્રાંતના છીએ એ ભૂલી ગયા છે અને અમે પણ સુરતી બની ગયા છે.


http://dlvr.it/T4jhvZ

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n