Skip to main content

બે અકસ્માતમાં બેના મોત:મોરબીના સોખડા નજીક ટ્રેલરે આધેડને અડફેટે લેતા મોત, વાંકાનેરમાં જમવાનું પાર્સલ લેવા જતા યુવકને અધવ્ચ્ચે કાળ ભરખી ગયો

મોરબીના સોખડા ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં આધેડને ટ્રેઇલર ચાલકે બાઈક સહીત ઠોકર મારી હતી, જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું. તો વાંકાનેરમાં રહેતા મિત્રો જમવાનું પાર્સલ લેવા માટે એકટીવા લઈને જતા હોય ત્યારે ડબલ સવારી એકટીવાને ટ્રેક્ટર સાથે ટક્કર થઇ હતી. જે અકસ્માતમાં એકટીવા ચાલક યુવાનનું મોત થયું હતું, તો એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબીના વાવડી રોડ પર શિવમ પાર્કમાં રહેતા નવીનભાઈ વાણીયા વાળાએ આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈ મેહુલભાઈ બાઈક લઈને સોખડા ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રકના ચાલકે ઠોકર મારતા ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને આધેડને મૃત જાહેર કર્યા હતા. તેમજ આકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો.મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. ટંકારાના ટોળ ગામે રહેતા સોહિલ બાદી નામના યુવાને ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રીના નર્સરી ચોકડી પાસે યુવાન મજુરી કામ પર ગયો હતો અને રાત્રીના જમવાનું પાર્સલ લેવા ફરિયાદી સોહિલ અને તેની સાથે કામ કરતો મિત્ર ગુરુપ્રસાદ બિંદાણી બંને જમવાનું પાર્સલ લેવા એકટીવા લઈને જતા હતા વઘાસીયા ટોલનાકા પાસે રોડ ચડતા હોય ત્યારે ટ્રેક્ટર પુરઝડપે આવી એકટીવાને ટક્કર મારતા બંને મિત્રો નીચે પડી ગયા હતા.જે અકસ્માતમાં સોહિલ અને ગુરુપ્રસાદને ઈજા પહોંચી હતી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગુરુપ્રસાદને ગંભીર ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર દરમીયાન મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


http://dlvr.it/T4WGDx

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp