Skip to main content

બે અકસ્માતમાં બેના મોત:મોરબીના સોખડા નજીક ટ્રેલરે આધેડને અડફેટે લેતા મોત, વાંકાનેરમાં જમવાનું પાર્સલ લેવા જતા યુવકને અધવ્ચ્ચે કાળ ભરખી ગયો

મોરબીના સોખડા ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં આધેડને ટ્રેઇલર ચાલકે બાઈક સહીત ઠોકર મારી હતી, જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું. તો વાંકાનેરમાં રહેતા મિત્રો જમવાનું પાર્સલ લેવા માટે એકટીવા લઈને જતા હોય ત્યારે ડબલ સવારી એકટીવાને ટ્રેક્ટર સાથે ટક્કર થઇ હતી. જે અકસ્માતમાં એકટીવા ચાલક યુવાનનું મોત થયું હતું, તો એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબીના વાવડી રોડ પર શિવમ પાર્કમાં રહેતા નવીનભાઈ વાણીયા વાળાએ આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈ મેહુલભાઈ બાઈક લઈને સોખડા ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રકના ચાલકે ઠોકર મારતા ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને આધેડને મૃત જાહેર કર્યા હતા. તેમજ આકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો.મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. ટંકારાના ટોળ ગામે રહેતા સોહિલ બાદી નામના યુવાને ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રીના નર્સરી ચોકડી પાસે યુવાન મજુરી કામ પર ગયો હતો અને રાત્રીના જમવાનું પાર્સલ લેવા ફરિયાદી સોહિલ અને તેની સાથે કામ કરતો મિત્ર ગુરુપ્રસાદ બિંદાણી બંને જમવાનું પાર્સલ લેવા એકટીવા લઈને જતા હતા વઘાસીયા ટોલનાકા પાસે રોડ ચડતા હોય ત્યારે ટ્રેક્ટર પુરઝડપે આવી એકટીવાને ટક્કર મારતા બંને મિત્રો નીચે પડી ગયા હતા.જે અકસ્માતમાં સોહિલ અને ગુરુપ્રસાદને ઈજા પહોંચી હતી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગુરુપ્રસાદને ગંભીર ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર દરમીયાન મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


http://dlvr.it/T4WGDx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n