Skip to main content

અંબાજી ખાતે હોળી દહન:ઉતર દિશામાં હોળી પડતા આ વર્ષે વરસાદ સારો આવશે, ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ઠાકોર સમાજ વર્ષોથી હોળી પ્રગટાવે છે

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે હોળી પર્વનો અનેરો મહિમા છે. વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની હોળી અંબાજી મંદીરના ભટ્ટજી મહારાજ હસ્તે પૂજન થયાં બાદ પ્રગટે છે. આ પૂજન વિધિમાં અંબાજી મંદિરના વહીવટદાર પણ જોડાય છે. અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવવામાં આવે છે અને હોળી જે દિશામાં પડે તે દિશામાં વરસાદની આગાહી પણ કરાતી હોય છે. હોળી પર્વની વાત કરવામાં આવે તો હોળી પર્વના દિવસે વર્ષમાં એક જ વખત અંબાજી મંદિરની સાંજની આરતી હોળી પ્રગટાવ્યા બાદ આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરથી ભટ્ટજી મહારાજ અને વહીવટદાર સહિત ઢોલ શરણાઈ સાથે હોળી સ્થાનક પર જઈને પૂજન અર્ચન કર્યાં બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ હોળી જે દિશામાં પડે તે દિશાથી વરસાદની આગાહી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવી વરસાદનું પ્રમાણ કાઢવામાં આવે છે. ત્યારે આજે હોળી ઊતર દિશામાં પડતા આવનારું વર્ષ સારું અને વરસાદનું પ્રમાણ સારું રહેશે તેમ ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.


http://dlvr.it/T4YYVg

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n