Skip to main content

સોશિયલ વેલફેર:પોરબંદરના વિસાવાડા ગામે ધુળેટીના દિવસે છાણાથી રમાય છે હોળી

પોરબંદરમાં ધુળેટીના પર્વનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજા પર રંગ ઉડાડી અને પર્વની ઉજવણી કરી હતી. તો પોરબંદર નજીકના વિસાવાડા ગામે છાણા-પાણની હોળી રમવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા જોવા મળી રહી છે. પોરબંદરના બરડા પંથકના ગામોમાં હોળી-ધુળેટીના પર્વને લઇ જુની પરંપરા જોવા મળી રહી છે. વિસાવાડા ગામે ધુળેટીના પર્વના દિવસે પાણા-છાણાની હોળી રમવામાં આવે છે. જુની પરંપરા મુજબ ગામના ચોકમા યુવાનો અને વૃદ્ધો એકત્રીત થાય છે અને બે ટીમ બનાવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે. તેમાં છાણાથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ એક રમત એવી છે જે ધુળેટીના દિવસે રમવામાં આવે છે તે પરંપરા મુજબ આજે પણ પાણા-છાણની હોળી રમવામાં આવે છે. આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. વિસાવાડા ગામે પાણા-છાણાની રમતમા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને રમતનો આંનદ માણ્યો હતો. ચોકમાં છાણાનો ઢગલો કરવામાં આવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે.


http://dlvr.it/T4cb5f

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n