Skip to main content

સોશિયલ વેલફેર:પોરબંદરના વિસાવાડા ગામે ધુળેટીના દિવસે છાણાથી રમાય છે હોળી

પોરબંદરમાં ધુળેટીના પર્વનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજા પર રંગ ઉડાડી અને પર્વની ઉજવણી કરી હતી. તો પોરબંદર નજીકના વિસાવાડા ગામે છાણા-પાણની હોળી રમવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા જોવા મળી રહી છે. પોરબંદરના બરડા પંથકના ગામોમાં હોળી-ધુળેટીના પર્વને લઇ જુની પરંપરા જોવા મળી રહી છે. વિસાવાડા ગામે ધુળેટીના પર્વના દિવસે પાણા-છાણાની હોળી રમવામાં આવે છે. જુની પરંપરા મુજબ ગામના ચોકમા યુવાનો અને વૃદ્ધો એકત્રીત થાય છે અને બે ટીમ બનાવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે. તેમાં છાણાથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ એક રમત એવી છે જે ધુળેટીના દિવસે રમવામાં આવે છે તે પરંપરા મુજબ આજે પણ પાણા-છાણની હોળી રમવામાં આવે છે. આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. વિસાવાડા ગામે પાણા-છાણાની રમતમા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને રમતનો આંનદ માણ્યો હતો. ચોકમાં છાણાનો ઢગલો કરવામાં આવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે.


http://dlvr.it/T4cb5f

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp