Skip to main content

વાર્ષિકોત્સવ:શ્રી અંબિકા પ્રાથમિક શાળા નંબર - 7માં શાળા વાર્ષિકોત્સવ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

શ્રી અંબિકા પ્રાથમિક શાળા નંબર - 7માં શાળા વાર્ષિકોત્સવ, ધોરણ-8ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય કાર્યક્રમ, નિવૃત્તિ સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ, નિવૃત શિક્ષકો કુંદનબેન, ઈન્દિરાબેન તેમજ નિવૃત્ત થનાર શિક્ષક ગીતાબેન રાઠોડ અને ભુતનાથ મિત્ર મંડળના સભ્યોના હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય ભરતભાઈ ભટ્ટે કર્યુ હતું. શાળાના શિક્ષિકા બહેનો નીતાબા રાયજાદા અને વંદનાબેન ત્રિવેદીએ તૈયાર કરાવેલા વિવિધતાસભર સાંસ્કૃતિક કૃતિઓ શાળાના બાળકોએ રજૂ કરી હતી. મહેમાનોના હસ્તે શાળાના દરેક વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને, વર્ષ દરમ્યાન નિયમિત વિદ્યાર્થીઓ, શાળાના બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનનાર તમામ બાળકોને તેમજ શાળા મિત્ર તરીકે શાળાના કામમાં ઉપયોગી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. શાળાના નિવૃત શિક્ષક ગીતાબેન રાઠોડ તરફથી શાળાને હોસ્ટિંગ માટે હોસ્ટિંગ ટેબલ ભેટ આપવામા આવ્યું હતું, તેમજ શાળાના તમામ બાળકોને નાસ્તા માટે સ્ટીલનો ડબો ભેટ આપ્યો હતો. અને શાળાના તમામ બાળકો અને શિક્ષકોને ભોજન કરાવ્યું હતું. શાળાના શિક્ષક નીતાબેન પટેલે શાળા પરિવાર વતી ગીતાબેન રાઠોડને નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ -8ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક જાગૃતિબેન ચોલેરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધો. 8ની વિદ્યાર્થિની ચાવડા પુજાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. ધોરણ -8ના બધા બાળકોને જાગૃતિબેન તરફથી રાઈટીંગ પેડ તેમજ ભરતભાઈ ભટ્ટ તરફથી પાઉચ અને પેન ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકો, ભુતનાથ મિત્ર મંડળના સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષ રાજદિપસિંહ જેઠવા, સમિતિના સભ્ય અને શાળાના પ્રભારી સંજયભાઈ બારૈયા તેમજ શાસનાધિકારી બડમલિયા મુંજાલભાઇએ આ ત્રિવિધ કાર્યક્રમને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જાંબુચા અને ધો. 8ની વિદ્યાર્થિનીઓ બારૈયા પ્રિયા અને ચૌહાણ કૌશરએ ખૂબ સરસ રીતે કર્યું હતું.


http://dlvr.it/T4sS7k

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...