Skip to main content

હુકુમ:1964 માં જમીન ખરીદી, રકમની ચૂકવણી કરી પણ દસ્તાવેજ બાકી હતો

જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન માલિક પાસે જમીન ખરીદી કરી હતી પણ દસ્તાવેજ કરવાનો રહી ગયો હોય તે સમયની જમીન ટુકડા તરીકે નોંધાયેલ જમીનના દસ્તાવેજ કરવો શક્ય ન હતો તેવું કારણ દર્શાવી નવસારીની કોર્ટમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે મૂળ જમીનના માલિકે દાવો કર્યો હતો. આ દાવામાં પડકારતા પ્રતિવાદીઓએ તેમના વકીલ તરીકે સીમા મિત્તલ અને એ.એમ.મિર્ઝા દ્વારા તેમની દસ્તાવેજ કરવાની માગને પડકાર કર્યો હતો. જેમાં કોર્ટે પ્રતિવાદીઓની દલીલને ધ્યાને લઇ તેમની દસ્તાવેજ માટેનો દાવો ફગાવી દીધો હતો. જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન વેચાણ કરી હતી પણ તે જમીન ઉપર નવા જમીન માલિકનો કબજો હતો. આ જમીનનો દસ્તાવેજ ન હોવાની દલીલ સાથે મૂળ જમીનના માલિકે દસ્તાવેજ માટેની અપીલ કોર્ટમાં કરી હતી. જેને નવસારી કોર્ટે વકીલ સીમા મિત્તલની દલીલને ધ્યાને લઇ ફગાવી દીધો હતો. એડવોકેટ સીમા મિત્તલે કોર્ટમાં દલીલ કરી હતી કે, જો આવા દાવા કોર્ટમાં એડમીટ કરવામાં આવશે તો ભારત દેશની તમામ અદાલતો આવા મનઘડિત વાર્તાના આધારે દાખલ કરવામાં આવતા દાવાઓથી ભરાઇ જશે અને કોર્ટનો સમય વ્યથિત થશે.


http://dlvr.it/T4WnGP

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n