Skip to main content

હુકુમ:1964 માં જમીન ખરીદી, રકમની ચૂકવણી કરી પણ દસ્તાવેજ બાકી હતો

જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન માલિક પાસે જમીન ખરીદી કરી હતી પણ દસ્તાવેજ કરવાનો રહી ગયો હોય તે સમયની જમીન ટુકડા તરીકે નોંધાયેલ જમીનના દસ્તાવેજ કરવો શક્ય ન હતો તેવું કારણ દર્શાવી નવસારીની કોર્ટમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે મૂળ જમીનના માલિકે દાવો કર્યો હતો. આ દાવામાં પડકારતા પ્રતિવાદીઓએ તેમના વકીલ તરીકે સીમા મિત્તલ અને એ.એમ.મિર્ઝા દ્વારા તેમની દસ્તાવેજ કરવાની માગને પડકાર કર્યો હતો. જેમાં કોર્ટે પ્રતિવાદીઓની દલીલને ધ્યાને લઇ તેમની દસ્તાવેજ માટેનો દાવો ફગાવી દીધો હતો. જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન વેચાણ કરી હતી પણ તે જમીન ઉપર નવા જમીન માલિકનો કબજો હતો. આ જમીનનો દસ્તાવેજ ન હોવાની દલીલ સાથે મૂળ જમીનના માલિકે દસ્તાવેજ માટેની અપીલ કોર્ટમાં કરી હતી. જેને નવસારી કોર્ટે વકીલ સીમા મિત્તલની દલીલને ધ્યાને લઇ ફગાવી દીધો હતો. એડવોકેટ સીમા મિત્તલે કોર્ટમાં દલીલ કરી હતી કે, જો આવા દાવા કોર્ટમાં એડમીટ કરવામાં આવશે તો ભારત દેશની તમામ અદાલતો આવા મનઘડિત વાર્તાના આધારે દાખલ કરવામાં આવતા દાવાઓથી ભરાઇ જશે અને કોર્ટનો સમય વ્યથિત થશે.


http://dlvr.it/T4WnGP

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp