Skip to main content

સામાજિક સુધારણાની પહેલ:100 ગોળ રોહિત સમાજ દ્વારા નવું બંધારણ બનાવી 119 ગામમાં અમલ કરાશે, બેઠકમાં સૂચનો મેળવવામાં આવ્યા

500 પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા સો ગોળ રોહિત સમાજના ઉપક્રમે સંસ્થાના પ્રમુખ કે.કે. માસ્ટરની આગેવાનીમાં એક આગવી સામાજિક સુધારણાની પહેલ કરીને સમાજના મહિલાઓની સક્રિય સામેલગીરી સાથે પાટણમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ ભાટિયાવાડ સ્થિત રોહિત સમાજની વાડી ખાતે આયોજિત આ નારી સંમેલનમાં 100 ગોળ રોહિત સમાજના 119 ગામોના સામાજિક આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજના નવીન બંધારણ માટે સુધારા અને સૂચનો સૂચવ્યા હતા અને આ નવા સામાજિક બંધારણ અંતર્ગત નારી શક્તિને તેમાં ભાગીદાર બનાવી તેમના મહત્વના સૂચનો સ્વીકારાયા હતા, અને તે પ્રમાણે આગામી ટૂંક દિવસોમાં રોહિત સમાજનું 100 ગોળનું 119 ગામોનું નવું બંધારણ બનાવીને તેનો અમલ કરવા હાથ ઊંચા કરીને સૌ એ સમર્થન વ્યક્ત કર્યું હતું. રોહિત સમાજ આયોજિત આ મહિલા સંમેલનમાં સમાજના ભગવતીબેન કે. પરમાર (કુરેજા) સહિત જાગૃત શિક્ષિત અને સમાજની હિતચિંતક વિવિધ સ્તરની બહેનોએ હાજરી આપીને તેમના અમૂલ્ય સૂચનો ઉપરાંત પોતાના અનુભવ અને નવીન વિચારો સમાજ સમક્ષ મૂક્યા હતા જેને સમાજે આવકાર્યા હતા અને મહિલા શક્તિના સથવારે સમાજમાં સામાજિક સુધારણા ક્ષેત્રે આગળ વધવા સંકલ્પના વ્યક્ત કરી હતી. રોહિત સમાજના આ નારી સંમેલનમાં કરાયેલ સામાજિક સુધારણામાં સામાજિક કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા અને વ્યસનોને તિલાંજલી આપવા સૌએ એકસુર વ્યક્ત કર્યો હતો. નારી સંમેલનમાં ઉપસ્થિત બહેનો અને સામાજિક આગેવાનોએ જે સુધારણા અમલી બનાવવા સંકલ્પ કર્યો તેમાં ભ્રુણહત્યા અટકાવવી અને સમાજમાં ઘટતા જતા સ્ત્રી-દર ને વધારવો, મૃત્યુ ભોજન તેમજ પોથ પ્રથા, સરામણું, બારમું, વારંવાર લોકાચાર જવું આવવું, કુરિવાજો ઘટાડવા, બહેન કે દીકરીના મામેરા કે મોસાળામાં રોકડ રકમનો વ્યવહાર કરવો અને વળતર લેવું નહીં, સારા પ્રસંગોએ ઓઢામણાની જગ્યાએ રોકડ વ્યવહાર કરવો, સગાઈ પ્રસંગે છોકરી પક્ષને અપાતા મોબાઈલ, વીંટી તેમજ બિનજરૂરી ભેટ સોગાદો બંધ કરવી અને સમાજના નવા સામાજિક સુધારણા બંધારણને અનુસરવાની સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત લગ્નમાં કરવામાં આવતા હલ્દી રસમ જેવા ખર્ચાળ કાર્યક્રમો બંધ કરવા તેમજ વરઘોડામાં ડીજે અને અન્ય વાજિંત્રો બંધ કરી ઘોડા તેમજ વરઘોડા સદંતર બંધ કરવા બાબતે પણ સૌએ સામાજિક સુધારણાને સમર્થન વ્યક્ત કર્યું હતું. 100 ગોળ રોહિત સમાજના પ્રમુખ કે.કે. માસ્ટર અને કારોબારી અધ્યક્ષ પ્રહલાદભાઈ વી. સરસાવા એ સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજીને મહિલાઓના સૂચનોને આવકારી સમાજ વિકાસમાં તેમની સક્રિય સામેલગીરીને સ્થાન આપીને મહિલાઓના ઉત્કર્ષ સાથે સમાજનો ઉત્કર્ષ થાય તે માટે સામાજિક સુધારણા અંગેનું બંધારણ ઘડીને તેનું સૌ પૂરેપૂરું પાલન કરશે તેઓ સંકલ્પ લેવાયો હોવાનું જણાવ્યું હતું અને ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર સો ગોળ રોહિત સમાજે નારી સંમેલન યોજીને સામાજિક સુધારણાની દિશામાં એક પ્રેરક કદમ ઉઠાવ્યું હોવાનું જણાવ્યું હતું.


http://dlvr.it/T4sSFL

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n