Skip to main content

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદમાં:લોકસભા ઉમેદવારો સાથે બેઠક કરશે, કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો મેળવશે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે

આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો પર જીત મેળવશે. રૂપાલા અંગે પણ નિવેદન આપતા કહ્યું છે કે, રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે
મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે. ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઇ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે. બાકીના ઉમેદવાર બે દિવસમાં જાહેર થશે
કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડીનેટર અને નેતાઓ સાથે આજે બેઠક છે. ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ બેઠક પર જીત મેળવશે. માત્ર ગુજરાતમાં જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધના વંટોળ છે. નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. ગુજરાતમાંથી થનારુ પરિવર્તન આખા દેશ સામે આવશે. અમે સમય પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે બાકીના બે દિવસમાં જાહેર થશે. 'આ દુર્ભાગ્યપૂર્ણ બાબત'
પરસોત્તમ રૂપાલા અંગે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે પરસોત્તમ રૂપાલાનું બેજવાબદાર નિવેદન મહત્વપૂર્ણ જગ્યા પર છે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જ જવાબ આપશે.


http://dlvr.it/T4qVvr

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n