Skip to main content

ચપ્પલ કાઢવાનું કહેતાં જ ઢીકાપાટુવાળી થઈ: VIDEO:સિહોરમાં ત્રણ શખસે ઇમર્જન્સી વોર્ડમાં ડૉક્ટરને ગાળો બોલી માર માર્યો, હોસ્પિટલમાં તોડફોડ કરી

ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત એક મહિલાને ત્રણ લોકો સારવાર માટે લઈ આવ્યાં હતાં. એ દરમિયાન ઈમર્જન્સી વિભાગમાં આ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડૉક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતાં જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ડૉક્ટરને મનફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કરી દીધો હતો. ઢીકાપાટુનો માર મારી દવાઓ સહિતની સાધનસામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એક મહિલાને સારવાર કરાવવા માટે ત્રણ લોકો આવ્યા હતા
આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, સિહોરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે શ્રેય હોસ્પિટલ નામની હોસ્પિટલ આવેલી છે, જેમાં MD ઈમર્જન્સી ડોક્ટર તરીકે દર્દીઓની તેઓ સારવાર કરતા હતા. એ દરમિયાન એક કારમાં ત્રણ શખસ આવ્યા હતા. એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ઈમર્જન્સી રૂમમાં તેઓ મહિલાને લઈને આવ્યા હતા. એ દરમિયાન મહિલાની સારવાર ચાલી રહી હતી. ઉશ્કેરાઈને ત્રણેય લોકોએ ડૉક્ટર પર હુમલો કર્યો
આ સમયે ડૉક્ટરે આ ત્રણેય લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહ્યું હતું. જોકે આટલી વાતમાં જ આ ત્રણેય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. એક બાદ એક પાંચથી છ લાફા માર્યા હતા. અપશબ્દો બોલી ડૉક્ટરને માર મારવા લાગ્યા હતા. આ ત્રણેય શખસે ડૉક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફને જેમ ફાવે એમ ગાળો બોલી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ત્રણેય શખસે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દવા તથા સાધનોને પછાડી આશરે 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. એ બાદ દર્દીને લઈને કારમાં ચાલ્યા ગયા હતા. જોકે જતાં જતાં પણ ધમકી આપતા ગયા હતા કે જો હવે પછી ક્યારેય ચપ્પલ કાઢવાનુું કહ્યું તો જાનથી મારી નાખીશું. મહિલા દર્દીની સારવાર કરાવ્યા વગર જ આ ત્રણેય લોકો તેને લઈને ત્યાંથી પરત જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, આથી ડો.જલદીપસિંહ ગોહિલે સિહોર પોલીસ સ્ટેશનમાં સ્કોડા કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને હુમલાખોરો સામે કાર્યવાહીની માગ કરી
આ મામલે ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ લાલઘૂમ થયું છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે એ માટે હુમલાખોરો વિરુદ્ધ તાકીદે કડક પગલાં લેવા માટે ભાવનગર જિલ્લાના એસપી ડો. હર્ષદ પટેલને લેખિતમાં રજૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.


http://dlvr.it/TDF5JL

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp