Skip to main content

કૈલાશ ભોયાનું ધરમપુરનું લોકર ઘટસ્ફોટ કરી શકે!:વિશ્વામિત્રી કાંઠે ઝોન ફેર કરનાર પૂર્વ TPOના 5 ખાતામાં માત્ર ₹12 લાખ!, વડોદરામાં કરોડોનો વૈભવી બંગલો

વિશ્વામિત્રીના પૂરે વડોદરાવાસીઓને ડૂબાડ્યા હતા અને સંપત્તિને નુકસાન કર્યુ હતું. ત્યારે વિશ્વામિત્રીના કિનારે આડેધડ ઝોન ફેરની મંજૂરી આપનાર સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર અને હાલમાં જ ફરજિયાત નિવૃત્ત કરાવી દેવાયેલા કૈલાસ ભોયા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી કૈલાશ ભોયાના 5 એકાઉન્ટમાંથી 12 લાખ રૂપિયા અને તેના પુત્ર અને પત્નીના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા ACBની તપાસ દરમિયાન મળી આવ્યા છે. આરોપી કૈલાશ ભોયા વલસાડ ખાતેથી ઝડપાયા બાદ અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. તેના રિમાન્ડ આજે પુરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પોલીસ આરોપીને સાથે રાખીને ધરમપુર ખાતે તેનું બેંક લોકર ખુલશે. ભ્રષ્ટાચારની અરજી થઈ હતી
વડોદરામા ફરજ દરમિયાન વિશ્વામિત્રીના કિનારે ઝોન ફેરની પ્રવૃત્તિ કરી હોવાનો આરોપ જેમની સામે છે, એવા સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરામાં જાગૃત નાગરિકે દ્વારા ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરુપયોગની અરજી થઈ હતી. જેની તપાસ બાદ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વલસાડ, ધરમપુર આસપાસના ગામોમાં જમીન અને પ્લોટ
કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોને પગલે મિલકત અંગે તપાસ હાથ ધરાઇ હતી. વડોદરા એસીબીએ 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2020 સુધી ભોયાની મિલકતના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવી હતી. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ જ આવક કરતાં વધુ સંપત્તિ બહાર આવી હતી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા નહેરુ પાર્ક સોસાયટીમાં વૈભવી બંગલો અને હરણીમાં ફ્લેટ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વલસાડ, ધરમપુર અને આસપાસના ગામોમાં જમીન અને પ્લોટ પણ છે. આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી
પરિણામે એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો. આમ આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું. ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી
અગાઉ વડોદરામાં 2014થી 2016 સુધી ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બાદમાં એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન.પ્રજાપતિએ કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તેના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. કૈલાશ ભોયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
આ દરમિયાન તેના પોતાના પાંચ એકાઉન્ટમાંથી 12 લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે તેની પત્ની અને પુત્રના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા મળ્યા હતા. તેના પરિવારના એકાઉન્ટમાંથી કુલ 26 લાખ રૂપિયા મળ્યા હતા. આજે આરોપી કૈલાશ ભોયાને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. તેથી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બેંક લોકર પર પોલીસને નજર
એસીબી દ્વારા હવે ધરમપુર ખાતેના બેંક લોકોને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પોલીસ કોર્ટની મંજૂરી લઈને આરોપીને સાથે રાખીને આગામી દિવસોમાં તેનું બેંક લોકર ખુલશે. આરોપીના બેંક એકાઉન્ટમાં ખૂબ ઓછી રકમ મળી છે. જેથી તેના બેંક લોકરમાં શું મળે છે તેની પર પોલીસને નજર છે. વડોદરાના નેહેરુ પાર્કમાં કરોડોના બંગલામાં ભોયા રહે છે
એ.સી.બી.ની ચાર વર્ષ સુધી ચાલેલી તપાસમાં વિશ્વામિત્રીમાં પૂર બાદ અચાનક જાગેલા તંત્રએ કાર્યવાહી કરી છે. જેમાં એ.સી.બી દ્વારા તપાસ દરમિયાન આરોપી કૈલાશ ભોયા વડોદરામાં જ રહે છે અને અકોટા નેહરુ પાર્ક સોસાયટીમાં કરોડોની કિંમત ધરાવતો બંગલો ધરાવે છે. વલસાડ, જૂનાગઢ, સુરત, વડોદરામાં મિલકત વસાવી
આરોપી કૈલાશ ભોયાએ ટાઉન પ્લાનર તરીકે રાજ્યના જુદાજુદા શહેરોમાં મિલકત વસાવી હતી. જેમાં વલસાડ, જૂનાગઢ, સુરત, વડોદરાનો સમાવેશ થાય છે. ફરજ દરમિયાન હંમેશા વિવાદોમાં રહ્યા છે. ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ચાલુ તપાસ છતાં સુરત બદલી થઈ હતી. જેની પાછળ રાજકીય પીઠબળ હોવાનું મનાય છે. યોગ્ય તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.


http://dlvr.it/TDJmNX

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp