Skip to main content

સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે:MSUના 500 યુવાનો-યુવતીઓએ NCC સિલેક્સન કેમ્પમાં ભાગ લીધો, તમામ ખર્ચ ડિફેન્સ દ્વારા ઉઠાવાશે

આજરોજ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 450 ઉપરાંત યુવાનો અને યુવતીઓએ એનસીસી દ્વારા આયોજિત સિલેક્શન કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં સિલેક્ટ થનાર યુવાનો અને યુવતીઓ 3 ગુજરાત કેડેટ તરીકે ઓળખાય છે. સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે
કર્નલ દેવેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, NCCમાં એ, બી અને સી એમ ત્રણ કેટેગરી હોય છે. કેટેગરી મુજબ સિલેક્ટ થયેલા યુવાનો અને યુવતીઓને તાલીમ આર્મી જવાનો દ્વારા આપવામાં આવે છે. આજે આર્મી વિંગમાં સિલેક્ટ થવા માટેના કેમ્પનું ફતેગંજ એનસીસી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એમ. એસ. યુનિવર્સિટીના 300 ઉપરાંત યુવાનો-યુવતીઓએ ભાગ લીધો છે. જેઓની જનરલનોલેજની લેખિત, મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત શારીરિક પરિક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ યુવાનને સિલેક્ટ કરવામાં આવશે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉઠાવાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 3 ગુજરાત બટાલિયન માટે 3 વર્ષનો કોર્સ હોય છે. ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ થયા બાદ C સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનસીસીના C સર્ટિફિકેટ બાદ કેડરને પોલીસ, આર્મી ઓફિસર, રિઝર્વ તેમજ કોર્પોરેટ કંપનીઓમાં પ્રધાન્ય મળે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 536 એનસીસી માટેની સીટો છે. જે પૈકી 160 યુવતીઓ અને 376 સીટ યુવાનો માટે હોય છે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉપાડવામાં આવે છે. ગુજરાતમાં ફરજિયાત 10 દિવસના કેમ્પનું આયોજન
કર્નલ દેવેન્દ્રસિંઘે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના C સર્ટિફિકેટ કોર્સ દરમિયાન ગુજરાતમાં ફરજિયાત 10 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત બહાર પણ ટ્રેકિંગ, થાલ સૈનિક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વિશેષમાં રિપબ્લિક ડેના દિવસે દિલ્હી ખાતે યોજાતી પરેડ માટે સિલેક્શન કરવામાં આવે છે‌. ગત વર્ષે વડોદરા એનસીસી કેમ્પના 12 કેડર્સ સિલેક્ટ થયા હતા. દરેક કોલેજની અલગ-અલગ સીટો નિર્ધારિત
3 ગુજરાત બટાલિયન માટે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સહિત 14 યુનિવર્સિટીના યુવાનો અને યુવતીઓ માટે કેમ્પ યોજવામાં આવે છે. દરેક કોલેજની અલગ-અલગ સીટો નિર્ધારિત કરવામાં આવેલ છે. દરેક કોલેજ અને યુનિવર્સિટીમાથી એક અધ્યાપકની એસોસિએટ NCC ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે. એમ. એસ. યુનિવર્સિટીમાથી ડો. દિલીપ કાતરીયા, ડો. પંકજ ત્રિપાઠી, અશોક રોહિત, કાન્ચી બારીયા અને પૂજા કંટારીયાની નિમણૂક કરવામાં આવી છે. સરકારી કોલેજમાંથી આવતા યુવાનો અને યુવતીઓ માટે ડિફેન્સ ખર્ચ ઉઠાવે છે. જ્યારે પ્રાઇવેટ કોલેજમાંથી એનસીસી કેમ્પમાં સિલેક્ટ થતા કેડરનો ખર્ચ જે તે કોલેજ દ્વારા કરવામાં આવે છે.


http://dlvr.it/TDSyT0

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp